બાંગ્લાદેશના રાજબારી જિલ્લાના દૌલતદિયા ફેરી ટર્મિનલ પાસે બુધવારે સાંજે 40 મુસાફરો સાથેની એક બસ પદ્મા નદીમાં ખાબકતા ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતાં અને ઘણા મુસાફરો ગુમ થયા હતાં. ઢાકાથી લગભગ ૧૦૦ કિમી (૬૨ માઇલ) દૂર રાજબારી જિલ્લાના દૌલતદિયા ખાતે એક ફેરી પાસે બસે કાબુ ગુમાવ્યો હતો. બસ પલટી ગઈ હતી અને લગભગ ૩૦ ફૂટ (૯ મીટર) નદીમાં ડૂબી હતી.
આ અકસ્માત શરે 5:00 વાગ્યે ટર્મિનલ નંબર 3 પાસે સર્જાયો હતો. બસ રાજબારીથી ઢાકા જઈ રહી હતી અને તે સમયે એક ફેરી (નૌકા) પર સવાર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસમાં ઓછામાં ઓછા 50 મુસાફરો સવાર હતાં. ફેરી પરથી અચાનક બસ લપસીને સીધી પદ્મા નદીના ઊંડા પાણીમાં સમાઈ ગઈ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર રસેલ મુલ્લાએ જણાવ્યું હતું કે નૌકાદળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને મરજીવાઓની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અકસ્માતના આશરે 6 કલાક બાદ બચાવ જહાજ ‘હમઝા’ અને ક્રેનની મદદથી રાત્રે 11:30 વાગ્યે બસને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બસ જેવી બહાર આવી કે ત્યાં હાજર સ્વજનોની ચીસ અને રુદનથી આખો વિસ્તાર ગમગીન બની ગયો હતો. કેટલાંક મુસાફરો તરીને કિનારે પહોંચવામાં સફળ હતાં.













