કેન્ટન, હેરોના શ્રી દિકેશ શાહે તાજેતરમાં એક મહિના માટે ઉપવાસ કરીને ‘મહા મૃત્યુંજય તપ’ હાથ ધર્યું હતું. તેમની આ તપસ્યામાં આખા મહિના માટેનો ઉપવાસ હતો અને આ સમગ્ર સમય માટે તેમણે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલા પાણીનું સેવન સામેલ હતું. તેઓ દરરોજ પ્રતિક્રમણ વગેરે જેવી વિવિધ પૂજા વિધિઓ પણ કરતા હતા.

તેમની સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમના પત્ની નિશાબેન અને તેમના નાના પુત્રએ તેમને આ ઉપવાસ માટે હિંમત અને પ્રેરણા પૂરી પાડી હતી. પરંતુ તેમની પ્રેરણાનો ખરો સ્ત્રોત તેમના ધર્મમાં તેમની અતૂટ શ્રદ્ધા હતી.

ધર્મપ્રેમી જૈનો વિવિધ પ્રકારની તપસ્યાઓ કરવા માટે જાણીતા છે અને દિવસો સુધી ખોરાકનો એક પણ દાણો ખાધા વિના અને કોઈપણ હળવા પીણાં કે જ્યુસ પીધા વિના ઉપવાસ કરે છે.

LEAVE A REPLY

one × two =