સોમવાર ૧૫ ઑગસ્ટના રોજ ભારતીય સ્વતંત્રતા દિનના અમૃત મોહત્સવ નિમિત્તે ઇન્ટેરનશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં સંસ્થાપક  શ્રી રાજરાજેશ્વર ગુરુજી ના સાન્નિધ્યમાં ધ્વજવંદન કરાયું હતું.

જેમાં હૅરો વેસ્ટના સંસદ શ્રી ગેરેથ થોમસ, પૂર્વ એસેમ્બલી મેમ્બર શ્રી નવીનભાઇ શાહ, પૂર્વ મેયર અને કાઉન્સિલર  રેખાબેન શાહ, નીતિનભાઇ શાહ, અજયભાઇ મારુ, આર્મી વોરંટ ઓફિસર શ્રી અશોક ચૌહાણ, શ્રી પાલ અને બ્રિટિશ નેવીના શ્રી શિવ ચાંદ, સામાજિક અગ્રણી શામજીભાઈ પટેલ, સંદીપ રૂપારેલિયા અને  દિનેશભાઈ સોનછત્રા ઉપસ્થિત રહ્યા હતા.  સિદ્ધાશ્રમના ટ્રસ્ટી દિલીપભાઈ ચૌબલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.