ભારતના ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને મોટી રાહત મળી છે. ડોમિનિકા સરકારે દેશમાં ગેરકાયદે પ્રવેશના મુદ્દે તેની સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. મેહુલ ચોક્સી એ સાબિત કરવામાં સફળ રહ્યો હતો કે તેનું એન્ટિગ્વા અને બાર્બુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે મેહુલ ચોક્સીએ કહ્યું કે, તેને તેમની ઈચ્છા વિરુદ્ધ ડોમિનિકામાં લાવવામાં આવ્યો હતો. મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સી-રો ના એજન્ટોએ તેનું અપહરણ કર્યું હતું.
હકીકતમાં મેહુલ ચોક્સી ગયા વર્ષે મે મહિનામાં એન્ટિગ્વાથી ગુમ થયો હતો. જ્યાં તે તેના ભત્રીજા નીરવ મોદી સાથે પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને 2018માં ભારતથી ભાગી ગયો હતો. સત્તાવાળાઓએ તેને 900 કિ.મી.થી વધુ દૂર ડોમિનિકન ટાપુઓ પર શોધી કાઢ્યો હતો અને એન્ટિગુઆ અને બાર્બુડાથી ‘ગેરકાયદે’ દેશમાં પ્રવેશવા બદલ તેની ધરપકડ કરી હતી
એન્ટિગ્વા પોલીસને કરેલી ફરિયાદમાં મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે તે એન્ટિગ્વાનો નાગરિક હતો અને તેને બળજબરીથી ડોમિનિકામાં લાવવામાં આવ્યો હતો. મેહુલ ચોકસીને ભારતને સોંપવા ડોમિનિકાને પણ વિનંતી કરી હતી.
મેહુલ ચોક્સીએ ગુરમીત સિંહ અને ગુરજીત ભંડાલની ઓળખ કરી હતી અને દાવો કર્યો હતો કે આ બે શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને બંને રોના એજન્ટ હતા. ચોક્સીએ તેના નજીકના પરિચિત બાર્બરા જરાબીકાને પણ ઓળખી કાઢ્યા હતા, જેના ઘરેથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.