પ્રતિક તસવીર (PTI Photo/Kunal Patil)(PTI08-08-2020_000147B)

નહેરુ સેન્ટર દ્વારા ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન 15 ઓગસ્ટ 2021 રવિવારે બપોરે 2 કલાકે કરાયું હતુ. જેમાં  શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની રજૂઆત સાથે અગ્રણી કલાકારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અરવિંદ પનાગરીયા, સુધા મૂર્તિ, ચિત્રા દિવાકરુની, વિકાસ સ્વરૂપ, પદ્મ વિભૂષણ પં. વિશ્વ મોહન ભટ્ટ, ડો. શશી થરૂર, જેફરી આર્ચર, ડો. સોનલ માનસિંહ, લોર્ડ મેઘનાદ દેસાઈ, એમ્બેસડર વિજય ગોખલે, પવન વર્મા, ક્રિકેટર કેવિન પીટરસન, અભિનેતા કબીર બેદી, ગાયક કલાકાર અનુપ જલોટા અને અન્ય લોકોએ પોતાના સંદેશ રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમને નહેરુ સેન્ટરના ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર એકાઉન્ટ પર રજૂ કરાયો હતો. યુટ્યુબ પર આપ નીચેની યુટ્યુબ લિંક https://youtu.be/aS1Xqm3JCFo પર ક્લિક કરી જોઇ શકશો.