બ્લાસ્ટ
(@NarendraModi via PTI Photo)

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે ઇરાનના પ્રેસિડન્ડ મસૂદ પેઝેશ્કીયાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. મોદીએ પ્રદેશમાં વધતી તણાવપૂર્ણ સ્થિતિ, નાગરિકોના જાવહાનિ તેમજ નાગરિક ઢાંચાને થયેલા નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ ઇરાનના પ્રેસિડન્ટને જણાવ્યું કે ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી સાથે-સાથે માલસામાન અને ઊર્જાના અવરજવરનો અવિરત પ્રવાહ જાળવવો ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.

આ અંગે મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ઇરાનના પ્રેસિડન્ટ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરી અને વિસ્તારમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તણાવમાં થયેલા વધારો, નાગરિકોના મૃત્યુ અને નાગરિક માળખાને થયેલા નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. હતી.

પ્રધાનમંત્રીએ શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી હતી અને આ સંકટનો અંત લાવવા માટે સંવાદ અને કૂટનીતિ અપનાવવાની અપીલ કરી હતી. સરકારી નિવેદન મુજબ, પ્રેસિડન્ટ પેઝેશ્કિયાને પીએમ મોદીને ઇરાનની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા પર સહમત થયા હતાં.

ઉલ્લેખનીય છે કે ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરી દીધી છે, જે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે અને આ માધ્યમથી ભારતના ઊર્જા આયાતનો મોટો ભાગ આવે છે. બે દિવસ પહેલાં ભારત તરફ જઈ રહેલા એક બલ્ક ઓઇલ જહાજ પર ઇરાની દળોએ હુમલો કર્યો હતો

છેલ્લા દસ દિવસમાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયાના અનેક દેશોના નેતાઓ સાથે વાતચીત કરી છે. મોદીએ અગાઉ ઓમાન, કુવૈત, બહેરિન, સાઉદી અરેબિયા, યુએઇ, જોર્ડન, ઇઝરાયેલ અને કતારના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે આ દેશો પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગલ્ફ અને પશ્ચિમ એશિયામાં આશરે એક કરોડ ભારતીયો વસે છે. ઇરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અથવા કામ કરે છે અને ઇઝરાયેલમાં 40,000થી વધુ ભારતીયો વસે છે.

LEAVE A REPLY