કેરળના ત્રિરુવલ્લામાં એક અંધશ્રદ્ધાળુ ડૉક્ટર દંપતીએ બે મહિલાઓનું ગળું કાપીને કથિત બલિ આપી દીધી હોવાની સનસનાટીભરી ઘટના બની હતી. આ ઘૃણાસ્પદસ ઘટના 27 સપ્ટેમ્બરની છે. પોલીસે મંગળવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.  

ડોક્ટર દંપતિએ બલી ચઢાવ્યા બાદ બંને મૃતદેહોના ટુકડા કરીને દફનાવી દીધા હતા. આરોપીઓને અંધવિશ્વાસ હતો કે આમ કરવાથી તેમના ઘરમાં સંપત્તિ અને વૈભવ આવશે. ત્રિરુવલ્લાનો રહેવાસી ડૉક્ટર ભાગવત ઘણા સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો. તેની પત્ની લીલાએ પેરુમ્બાવુરમાં રહેતા શિહાબનો ફેસબુક મારફત સંપર્ક કર્યો હતો. તેને સલાહ આપી હતી કે મનુષ્ય બલિ આપવાથી જ ભગવાન રાજી થશે. 

શિહાબે બે મહિલાઓને પૈસા અને કામની લાલચ આપીને ત્રિરુવલ્લા લઈ આવ્યો. ડોક્ટર દંપતી અને શિહાબ અહીંથી બંનેને પથનમથિટ્ટાના એલંથુર લઈ ગયા હતા. અહીં તેમણે તંત્ર-સાધાના કરીને તેમની બલી ચઢાવી દીધી  અને એલંથુરમાં જ બંને મહિલાઓને દફનાવી દીધી હતી. દરમિયાનમાં, કદવંતરાથી લાવવામાં આવેલી મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશનર સીએચ નાગારાજુએ જણાવ્યું હતું કે તેના મોબાઈલના લોકેશનના આધારે પોલીસ ત્રિરુવલ્લા પહોંચી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક થયાનું બહાર આવ્યું હતું. પોલીસે કસ્ટડીમાં ડોક્ટર દંપતીની પૂછપરછ કરતાં તેમણે સમગ્ર રહસ્ય ખોલ્યું હતું.  

LEAVE A REPLY

13 + one =