Kiara Advani and Siddharth Malhotra
ANI

ફિલ્મ ‘શેરશાહ’ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેર્સની ઘણા સમયથી અટકળો થઈ રહી છે, પરંતુ હવે આ સેલિબ્રિટી કપલ એપ્રિલમાં લગ્ન કરશે તેવી પણ અટકળો થઈ રહી છે. કિયારા અડવાણી ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 7’માં આવી હતી ત્યારે તેને સિદ્ધાર્થ સાથેના પોતાના સંબંધને મિત્રતાથી વિશેષ ગણાવ્યો હતો. કિયારા સાથે ગેસ્ટ તરીકે આવેલા શાહિદ કપૂરે પણ સંકેત આપ્યો હતો કે આ વર્ષના અંતે મોટી જાહેરાત થઈ શકે છે અને તે ફિલ્મની નહીં હોય.

મીડિયા રીપોર્ટ મુજબ કિયારા અને સિદ્ધાર્થ એપ્રિલ 2023માં લગ્ન કરી શકે છે. કિયારા અને સિદ્ધાર્થ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને જલ્દી જ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની જવા માગે છે. સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે ફિલ્મ ‘શેરશાહ’ના પ્રમોશન વખતથી જ કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. સિદ્ધાર્થ અને કિયારા અવારનવાર ડેટ પર કે પાર્ટીઓમાં સાથે હાજરી આપતા જોવા મળ્યા છે.

LEAVE A REPLY

fifteen + 3 =