લંડનના હેરો સ્થિત સિદ્ધાશ્રમ ધામ ખાતે 8મી માર્ચ, શુક્રવારના રોજ મહાશિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસે ભગવાન શિવના, ખાસ કરીને પારદેશ્વર શિવલિંગના દિવ્ય આશીર્વાદ, દર્શન અને અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ મહામૃત્યુંજય મંત્ર અને મહાશિવરાત્રિના મહત્વ વિશે માહિતી આપી હતી.

9 માર્ચમા રોજ લેસ્ટરના ભક્તોએ સિદ્ધાશ્રમ ધામ હેરોમાં આવી પારદેશ્વર શિવલિંગના દર્શનાનો લાભ લીધો હતો. સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ સૌ ભક્તોને પ્રસાદના રૂપમા રુદ્રાક્ષની માળા અને આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

9 + twelve =