(istockphoto.com)

અમેરિકાએ દક્ષિણ એશિયાના ત્રણ દેશો માટેની તેની ટ્રાવેલ એડવાઇઝરીને અપડેટ કરીને સલાહ આપી હતી કે તેના નાગરિકોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રવાસની પુનવિચારણા કરવી જોઇએ અને અફધાનિસ્તાનનો પ્રવાસ ન કરવો જોઇએ. વિદેશ વિભાગે સોમવારે આ ત્રણ દેશો માટે અલગ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી.

એડવાઇઝરીમાં સલાહ આપવામાં આવી હતી કે કોવિડ-19, ત્રાસવાદ અને વંશિય હિંસાને કારણે પાકિસ્તાનના પ્રવાસની ફરી વિચારણા કરો. ત્રાસવાદ અને કિડનેપિંગને કારણે નાગરિકોએ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની મુલાકાલ ન લેવી જોઇએ.

એડવાઇઝરીમાં ત્રાસવાદ અને લશ્કરી દળો વચ્ચે સંભવિત અથડામણને કારણે અંકુશરેખાની નજીક ન જવાની પણ તેના નાગરિકોને સલાહ આપી છે. ભારત-પાકિસ્તાન બોર્ડરનો પ્રવાસ ન કરશો. આ વિસ્તારમાં ત્રાસવાદી સંગઠનો સક્રિય છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુ મોટી સંખ્યામાં જવાનો રાખે છે. ભારત અને પાકિસ્તાનની લશ્કર વારંવાર એકબીજા સામે ફાયરિંગ કરે છે.

/* */

બાંગ્લાદેશનના પ્રવાસની ફરી વિચારણા કરવાની સલાહ આપતા એડવાઇઝરીમાં જણાવાયું હતું કે ગુનાખોરી, ત્રાસવાદ અને કિડનેપિંગને કારણે આ દેશમાં વધુ સાવધાની રાખવી જોઇએ.