ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી મંત્રણા યોજાયે તે માટે અમેરિકા સમર્થનમાં છે, તેવું બાઇડેન એડિમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના નિર્ણયની પાંચ ઓગસ્ટે વર્ષગાંઠ હતી.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે તાજેતરમાં મીડિયાને જણાવ્યું હતું કે, ભારત હંમેશાં કહે છે કે પડોશી દેશ સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે, પણ હમેશાં એ વાત પર ભાર મૂકે છે કે આ પ્રકારના સંબંધો માટે આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ રાખવાની જવાબદારી ઇસ્લામાબાદની છે. આ સાથે ભારત એ પણ કહે છે જમ્મુ-કાશ્મીર હંમેશાં દેશનો હિસ્સો હતો, છે અને રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ, એ અમે લાંબા સમયથી કહીએ છીએ.

મિલરની આ ટિપ્પણી પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા બધા ગંભીર અને પડતર મુદ્દાઓના સમાધાન માટે ભારતની સાથે ચર્ચાની રજૂઆત કર્યાના બે દિવસ પછી આવી છે. ઓગસ્ટ, 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને બદલી છે ત્યારથી ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે દ્વિપક્ષી સંબંધ તણાવપૂર્ણ છે.

પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે, જ્યાં સુધી સીમા પાર આતંકવાદની નીતિ ખતમ નહીં થાય, ત્યાં સુધી ભારત માટે પડોશી દેશની સાથે સામાન્ય સંબંધો રાખવા સંભવ નથી. આ પહેલાં જૂનમાં તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદને સામાન્ય ગણવાની મંજૂરી નથી આપતા. અમે એને પાકિસ્તાન સાથે ચર્ચામાં સામેલ થવાનો આધાર નહીં બનવા દઈએ.

LEAVE A REPLY

eight − three =