ફાઇલ ફોટો September 18, 2023. REUTERS/Chris Helgren

ખાલિસ્તાની ટાઈગર ફોર્સ અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ની કેનેડિયન એકમનું નેતૃત્વ કરનાર હરદીપ સિંહ નિજ્જરને જૂનમાં સરેના ગુરુદ્વારા નજીક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. મૂળ પંજાબના જલંધરનો  નિજ્જર 1997માં કેનેડા ગયો હતો.

ભારતે ખાલિસ્તાન ટાઇગર ફોર્સને આતંકી સંગઠન જાહેર કર્યું છે. ટાઈગર ફોર્સનો “માસ્ટર માઈન્ડ” હોવા બદલ ભારતે નિજ્જરને વોન્ટેડ જાહેર કર્યો છે. ગયા જુલાઈમાં, ભારતીય આતંકવાદ વિરોધી એજન્સીએ પંજાબના જાલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાના કેસમાં નિજ્જર પર ₹10 લાખનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. નિજ્જર 2007માં પંજાબમાં એક સિનેમામાં બોમ્બ વિસ્ફોટનો પણ આરોપી હતો. એનઆઈએ કેનેડા, યુકે અને યુએસમાં ભારતીય રાજદ્વારી મિશન પરના તાજેતરના હુમલાઓની પણ તપાસ કરી રહી છે.

કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉગ્રવાદ વધ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં અનેક ખાલિસ્તાની પ્રવૃત્તિઓ જોવા મળી હતી, જેમાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન અને ભારતીય રાજદ્વારીઓ માટે ધમકીના પોસ્ટરોનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

eleven + 2 =