Adil Khan (left) and Qari Abdul Rauf. (Photo credit: Greater Manchester Police)

રોશડેલ ગ્રુમિંગ ગેંગના બે સૌથી ખરાબ ગુનેગારો, કારી અબ્દુલ રઉફ અને આદિલ ખાનના દેશનિકાલ પરનો અવરોધ પાછો ખેંચવા માટે યુકેના નેતાઓ પાકિસ્તાન સરકારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  સામે પક્ષે પાકિસ્તાને કહ્યું છે કે જો યુકે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પુનઃસ્થાપિત કરે તો તેઓ આ બે ગુનેગારોને પાછા લઈ શકે છે.

રઉફ અને ખાન પાસે બેવડી એટલે કે બ્રિટિશ અને પાકિસ્તાની નાગરિકતા હતી પરંતુ ગેંગના સભ્યો હોવાનું સાબિત થયા બાદ તેમની બ્રિટિશ નાગરિકતા છીનવી લેવામાં આવી હતી. લગભગ એક દાયકા પહેલા એક જજે બંને અપરાધીઓને પાકિસ્તાન મોકલવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હોમ ઓફિસના આદેશ સામે કોર્ટમાં અપીલ થાય તેના થોડા દિવસો પહેલા જ બંને આરોપીઓએ તેમની પાકિસ્તાની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો.

તે પછી તેઓ સફળતાપૂર્વક દલીલ કરી શક્યા હતા કે જો તેમને દેશનિકાલ કરવામાં આવશે તો તેઓ સ્ટેટ લેસ બનશે. જજે બે કરતા વધુ વખત તેમની અપીલ ફગાવી દીધી હોવા છતાં પાકિસ્તાને તેમને સ્વીકારવાનો ઇનકાર કરતાં તેઓ યુકેમાં રહી શક્યા હતા.

બ્રિટેને 2021માં દેશની સરકારી માલિકીની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) સહિત તમામ પાકિસ્તાની એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ યુકેમાં અને બહાર ફ્લાઇટ્સ ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ડઝનબંધ પાકિસ્તાની પાઇલોટ્સ નકલી લાઇસન્સ સાથે કામ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો.

LEAVE A REPLY