સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં આવેલા સાન્ટા ક્લેરા કન્વેન્શન સેન્ટર ખાતે 21 થી 22 માર્ચ દરમિયાન યોજાયેલા ટ્રાવેલ એન્ડ એડવેન્ચર શોમાં ડો. કે. શ્રીકર રેડ્ડીએ ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રવાસન સંભાવના પ્રદર્શિત થઈ હતી. આ કાર્યક્રમ થકી ભારત સરકારના પર્યટન મંત્રાલયના નેતૃત્વ હેઠળ “અતુલ્ય ભારત” અભિયાન હેઠળ તેની ઓફરોને પ્રોત્સાહન આપી રહ્યું હતું.

એર ઇન્ડિયા, ટોપ ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાજ હોટેલ્સના સહયોગથી આયોજિત, પેવેલિયનમાં પ્રવાસના અનુભવોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી હતી. તેમાં હેરીટેઝ ટૂરીઝમ, આધ્યાત્મિક યાત્રાઓ, સાહસિક યાત્રા અને ભારતની વિવિધ રાંધણ પરંપરાઓનો સમાવેશ કરાયો હતો.

પેવેલિયનના મુલાકાતીઓએ પરંપરાગત મહેંદી મૂકાવવા સહિત ઇન્ટરેક્ટિવ સાંસ્કૃતિક અનુભવોનો આનંદ માણ્યો હતો અને સમગ્ર ભારતમાં વિશિષ્ટ ટૂરીઝમ ડીલ્સ અને ક્યુરેટેડ ટૂર પેકેજોની માહિતી મેળવી હતી.

આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ દેશના ઇતિહાસ, પ્રકૃતિ અને આધુનિક આતિથ્યના અનોખા મિશ્રણનું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો હતો. આ કાર્યક્રમ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના પ્રવાસન સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે અને વધુ મુલાકાતીઓને ભારતના પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારત પેવેલિયન મુખ્ય આકર્ષણોમાંનું એક હતું

 

.