સલમાન ખાન, અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરા અભિનિત કોમેડી ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ની સીક્વલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. 20 વર્ષ પછી સીક્વલ બની રહી હોવાથી અક્ષય અને સલમાનને રીપિટ કરવાની નિર્માતાની ઈચ્છા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ સીકવલ માટે વરુણ ધવન અને કાર્તિક આર્યનની પસંદગી થવાની સંભાવના છે. નિર્માતા સાજિદ નડિયાદવાલા ‘મુજસે શાદી કરોગી’ની સીક્વલ દ્વારા ફિલ્મમાં વર્તમાન સ્થિતિ મુજબની કોમેડી અને ધમાલ દર્શાવવા ઇચ્છે છે. કાર્તિક આર્યન અને વરુણ ધવને નવી પેઢીના કોમેડી એક્ટર્સમાં મોખરાનું નામ મેળવ્યું છે.
આ બંનેને સાજિદ નડિયાદવાલાની પ્રાથમિકતા આપે છે. એજ રીતે તેઓ પ્રિયંકા ચોપરાના વિકલ્પ વિશે પણ વિચારે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ લખાઈ નથી, પરંતુ સાજિદ ખાને કાસ્ટ ફાઈનલ કરવા કવાયત શરૂ કરી છે. સાજિદ નડિયાદવાલાએ સ્ટોરી વિચારીને કાર્તિક-વરુણ સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. ફિલ્મને 2026માં રિલીઝ કરવાનું આયોજન છે.
