
અમદાવાદમાં 12 જુનના રોજની એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના સગા-સંબંધીઓની મદદ માટે યુકે સરકારે રીસેપ્શન સેન્ટર શરૂ કર્યું છે. અમદાવાદમાં એરપોર્ટ પાસેની ધ ઉમ્મેદ હોટેલ ખાતે યુકે સરકારની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા આ રીસેપ્શન સેન્ટરનો પ્રારંભ 14 જુને કરાયો હતો. આ વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના પરિવારજનો અને મિત્રોને મદદ તથા જરૂરી માર્ગદર્શન માટે રીસેપ્શન સેન્ટર દરરોજ સવારે નવથી રાત્રિના નવ કલાક સુધી કાર્યરત રહેશે.
