વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય છે કે 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને આખી બિલ્ડિંગ વેરવિખેર થઈ ગઈ હતી.
ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યએ વિમાન દુર્ઘટના પછી જમીન પર માર્યા ગયેલા લોકોને વળતર આપવાના મુદ્દા પર હજુ સુધી નિર્ણય લીધો નથી, જેમાં ચાર MBBS વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો-ક્રુ મેમ્બર ઉપરાંત જમીન પર 29 લોકોના મોત થયાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે અમારા મૂલ્યાંકન મુજબ, રેસિડેન્ટ ડોકટરો (જેઓ વિમાન દુર્ઘટના સમયે હોસ્ટેલમાં રહેતા હતાં)ની 2.70 કરોડ રૂપિયાની મિલકતો (વ્યક્તિગત સામાન)ને નુકસાન થયું હતું. અમે એર ઇન્ડિયા પાસેથી તેનો દાવો કરીશું
