અમદાવાદથી ગેટવિક જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમલાઇનર 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયા બાદ અમેરિકન વિમાન ઉત્પાદનક કંપની બોઇંગ મુશ્કેલીઓમાં વધારો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોઇંગ વિમાનો ઘણી ઘટનાઓમાં સામેલ થયા છે, જેના કારણે ઉત્પાદનની ગુણવત્તા અંગે શંકા ઉભી થાય છે.અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના જીવલેણ ક્રેશ બાદ ગુરુવારે બોઇંગ કંપનીના શેરમાં ભારે ધોવાણ થયું હતું. શેર આશરે પાંચ ટકા તૂટીને  $203.60 પર થયો હતો.

બોઇંગ છેલ્લા ઘણા વર્ષોથી શ્રેણીબદ્ધ વિવાદોમાં ફસાયેલું છે. તેમાં સલામતીની ચિંતાઓ, કોર્પોરેટ ગવર્નન્સ, નિયમનકારી ચકાસણી અને ઉત્પાદન ગુણવત્તા સમસ્યાઓનો સમાવેશ કરે છે.

અગાઉ 737 MAX વિમાનનાબે જીવલેણ ક્રેશ હતાં.૨૦૧૮માં લાયન એર ફ્લાઇટ ૬૧૦ અને ૨૦૧૯માં ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ૩૦૨ ટેકઓફ થયાના થોડી મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૩૪૬ લોકો માર્યા ગયા હતાં.બંને ક્રેશ મેન્યુવરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓગમેન્ટેશન સિસ્ટમ (MCAS) તરીકે ઓળખાતી ખામીયુક્ત સિસ્ટમ સાથે જોડાયેલા હતા. ભૂલભરેલા સેન્સર ડેટાના આધારે ખામીયુક્ત સોફ્ટવેરે વિમાનના નોઝને નીચે ધકેલી દીધું હતું. આના કારણે 737 MAX ફ્લીટને 20 મહિનાથી વધુ સમય માટે વૈશ્વિક સ્તરે ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું. યુએસ કોંગ્રેસની તપાસમાં બોઇંગના “છુપાવવાના કલ્ચર”નો ખુલાસો થયો હતો.

ગયા વર્ષે જાન્યુઆરીમાં અલાસ્કા એરલાઇન્સના 737 MAX 9 વિમાનના ડોર પ્લગ પેનલમાં બોલ્ટ ખૂટવાના કારણે ઉડાન દરમિયાન જ વિસ્ફોટ થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને MAX 9 ને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કર્યું હતું અને બોઇંગની ઉત્પાદન લાઇનનું વિગતવાર ઓડિટ શરૂ કર્યું હતું. આના પરિણામે વધારાના દંડ, વિમાન પ્રમાણપત્રમાં વિલંબ (737 MAX 7 અને MAX 10 સહિત) અને વિશ્વાસમાં વધુ ઘટાડો થયો હતો.

બોઇંગના કોર્પોરેટ કલ્ચરની પણ ટીકા થઈ રહી છે. તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને સલામતીના ભોગે ખર્ચ ઘટાડવા અને શેરધારકોના વળતર પર વધુ પડતી કેન્દ્રિત હોવાના આક્ષેપ છે. બોઇંગમાં આ ઉથલપાથ પછી એરબસ તરફથી સ્પર્ધાત્મક દબાણમાં વધારો થયો છે. ડિલિવરીમાં સતત વિલંબને કારણે એરલાઇન ગ્રાહકો સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે, જેમાંથી ઘણા તેમના કાફલાના વિકલ્પોમાં વૈવિધ્ય લાવી રહ્યા છે.

 

 

 

LEAVE A REPLY