(PTI Photo)

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 19 જૂને તેમના 55મા જન્મદિને ઘર બદલીને દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 5- સુનહરી બાગમાં શિફ્ટ થયા હતાં. અત્યાર સુધી તેઓ 10 જનપથ ખાતેના નિવાસસ્થાનમાં તેમની માતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી સાથે રહેતા હતા.

પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે ગૃહપ્રવેશ પૂજા એક ખાનગી બાબત હતી.ધાર્મિક વિધિઓ મુજબ, પરિવારે પૂજાના દિવસે ઘરમાં રાત વિતાવવી પડે છે. તેનો અર્થ એ કે રહેનાર નવા ઘરમાં રહેવા ગયો છે. સામાનની હેરફેરમાં થોડો સમય લાગી શકે છે,

લોકસભાના વિપક્ષના નેતા તરીકે તેમને આ નવા બંગલો ફાળવવામાં આવ્યો છે. બંગલાનો વિસ્તાર લગભગ 2000થી 3000 ચોરસ મીટર છે. જેમાં 4થી 5 મોટા બેડરૂમ અને ઓફિસો છે. અહીં એક મીટિંગ હોલ, ખાનગી લૉન, સુરક્ષા કર્મચારીઓનો રૂમ, સ્ટાફ ક્વાર્ટર અને કાર પાર્કિંગ પણ છે.

 

LEAVE A REPLY