REUTERS/Kevin Lamarque/File Photo/File Photo

ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન જારી કરી શનિવારે પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના માળખાની જાહેરાત કરી હતી. આ વચગાળાના કરાર મુજબ બંને દેશો એકબીજાની પ્રોડક્ટ્સની પરની ટેરિફમાં ઘટાડો કરશે, ઊર્જા સંબંધોને ફરીથી આકાર આપશે અને આર્થિક સહયોગને ગાઢ બનાવશે.

આ ડીલ હેઠળ અમેરિકાની હાઇ-એન્ડ કાર, બાઇક, સફરજ જેવા તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાતેલ, વાઇન એન્ડ સ્પિરિટસ, ડ્રાઇડ ડિસ્ટીલર્સ ગ્રેઇન, લાલ જુવાર, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, જેવા ડ્રાય ફ્રુટ, સોયાતેલ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ, અમેરિકન વિમાન, સેમિકન્ડક્ટર ચીપ્સ, હાઇ ક્વોલિટી મશનરી પરની ડ્યૂટીમાં ભારત ઘટાડો કરશે. બીજી તરફ ભારતની જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ ડાયમંડ, એરફ્રાક્ટ પાર્ટ, મસાલા, ચા, કોફી, કોપરા, નાળિયેર તેલ, સોપારી, કાજુ, એવોકાડો, કેળા, જામફળ, કેરી, કીવી, પપૈયા, અનેનાસ, કોકો અને કોકો પ્રોડ્કસ, તલ, ખસખસ અને ફ્રુટ જામ સહિતની પેદાશોને જકાત મુક્તિનો લાભ મળશે.

ભારત વચગાળાના વેપાર કરાર હેઠળ હાઇ-એન્ડ અમેરિકન કાર પરની ટેરિફ 110%થી ઘટાડીને 30% કરશે અને હાર્લી-ડેવિડસન બાઇક પરની ડ્યુટી નાબૂદ કરશે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો માટે છૂટછાટ આપશે નહીં. તેનાથી ટેસ્લાને કોઇ લાભ થશે નહીં.

ભારતના વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ વચગાળાના કરારથી ભારતીય નિકાસકારો અને ખાસ કરી MSME, ખેડૂતો અને માછીમારો માટે 30 ટ્રિલિયન ડોલર (યુએસની કુલ જીડીપી)નું બજાર ખુલશે, કારણ કે ભારતીય માલ પર યુએસ ડ્યૂટી અગાઉની 50 ટકાથી ઘટી 18 ટકા થશે. અમેરિકા ભારતીય માલ પરની ટેરિફ હાલના 50 ટકાથી ઘટાડી 18 ટકા કરશે, જ્યારે ભારત અમેરિકાના તમામ ઔદ્યોગિક પ્રોજક્ટ્સ અને સંખ્યાબંધ ફૂડ અને કૃષિ પેદાશોની ટેરિફને નાબૂદ કરશે અથવા તેમાં ઘટાડો કરશે.

બંને દેશોના સંયુક્ત નિવેદન પહેલા અમેરિકન પ્રેસિડન્ટ ડોનાન્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ આદેશ જારી કરી રશિયન ક્રૂડની ખરીદી બદલ ભારત પર લાદવામાં આવેલી 25 ટકા ટેરિફ 7 ફેબ્રુઆરીથી નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ માળખું 13 ફેબ્રુઆરી, 2025એ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાયેલ વ્યાપક યુએસ-ભારત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટો પ્રત્યે બંને દેશોની પ્રતિબદ્ધતાને પુષ્ટી આપે છે.

ભારત તમામ ઔદ્યોગિક પ્રોડક્ટ્સ તથા ડ્રાઇડ ડિસ્ટ્રીલર્સ ગ્રેઇન, લાલ જૂવાર (પશુ આહાર) ઉપરાંત ટ્રી નટ્સ (બદામ, કાજુ વગેરે), તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાતેલ, વાઇન અને સ્પિરિટ્સ સહિતની કૃષિ પેદાશોની ટેરિફને નાબૂદ કરશે અથવા તેમાં ઘટાડો કરશે.

પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થવાની ધારણા છે. ભારત રશિયા પાસેથી સીધી કે પરોક્ષ રીતે ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા આપી હોવાથી ટ્રમ્પે ભારત પરની 25 ટકા વધારાની ટેરિફને નાબૂદ કરી છે. આ અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું હતું કે ભારત સીધી કે આડકતરી રીતે રશિયન તેલની આયાત ફરી શરૂ કરે છે કે નહીં તેની અમેરિકા દેખરેખ રાખશે. જો ભારત ખરીદી ફરી ખરીદી ચાલુ કરશે તો અમેરિકા 25 ટકા વધારાની ટેરિફ સહિતના પગલાં લેવાની વિચારણા કરશે.

નિવેદનમાં જણાવાયું છે કે ભારતે આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરના યુએસ એનર્જી પ્રોડક્ટ્સ, વિમાન અને વિમાનના પાર્ટસ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોલસો ખરીદવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ વચગાળાના કરારથી ભારતીય નિકાસકારો અને ખાસ કરી MSME, ખેડૂતો અને માછીમારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, કારણ કે ભારતીય માલ પર યુએસ ડ્યૂટી અગાઉની 50 ટકાથી ઘટી 18 ટકા થશે.

ટેરિફમાં ઘટાડાથી ટેક્સટાઇલ્સ એન્ડ એપેરલ, લેધર એન્ડ ફૂટવેર, પ્લાસ્ટિક એન્ડ રબર, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, કલા-કારીગરી પ્રોડક્ટ્સ અને કેટલીક મશીનરી જેવા ભારતના શ્રમપ્રધાન ક્ષેત્રોને નિકાસને વેગ મળશે. આ ઉપરાંત જેનેરિક ફાર્માસ્યુટિક્લ, જેમ્સ એન્ડ ડાયમંડ, એરફ્રાક્ટ પાર્ટ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટ્સની ડ્યૂટી શૂન્ય થશે. ભારતને એરક્રાફ્ટ પાર્ટ પર કલમ 232 હેઠળ છૂટછાટ, ઓટો ઓટો પર ટેરિફ રેટ ક્વોટાનો લાભ મળશે.

સમજૂતી અમલમાં આવ્યાના દિવસથી ભારત અમેરિકાની કેટલીક પ્રોડક્ટ્સ પર ડ્યૂટીને નાબૂદ કરશે. બીજા પ્રોડક્ટ્સ પરની ડ્યૂટીને તબક્કાવાર ધોરણે નાબૂદ કરશે. કેટલાંક ક્ષેત્રમાં ટેરિફમાં ઘટાડો કરશે અને કેટલાંક ક્ષેત્રમાં ક્વોટા મુજબ રાહત આપશે. બંને દેશો આ માળખાને ઝડપથી અમલી બનાવશે તથા વચગાળાની સમજૂતીને આખરી ઓપ આપી અંતિમ સમજૂતી કરશે.

ભારત યુએસ મેડિકલ ડિવાઇસ તથા ફૂડ અને કૃષિ પેદાશો પરના ટેરિફ સિવાયના અવરોધોને દૂર કરવા માટે પણ સંમત થયું છે. બંને દેશો ડેટા સેન્ટરોમાં વપરાતા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ અને બીજી પ્રોડક્ટ્સ સહિતની ટેકનોલોજી પ્રોડક્ટ્સના વેપારમાં મોટો વધારો કરવા તથા ટેકનોલોજી સહયોગમાં વધારો કરવા માટે પણ સંમત થયા છે.
ગોયલે જણાવ્યું હતું કે આ કરાર હેઠળ ભારતની આશરે 44 અબજ ડોલરની નિકાસ શૂન્ય પારસ્પરિક ટેરિફ પર અમેરિકન બજારમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત 30 અબજ ડોલરની નિકાસ પર 18 ટકા ડ્યૂટી લાગુ પડશે. જોકે સ્ટીલ, કોપર અને કેટલાંક ઓટો પાર્ટસ સહિતની 12 અબજ ડોલરની નિકાસ પરની ડ્યૂટીમાં કોઇ ફેરફાર કરાયા નથી.

LEAVE A REPLY