(PTI Photo)

મહારાષ્ટ્રના નાગપુર નજીક કાટોલના રાઉલગાંવમાં સ્થિત ઔદ્યોગિક વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી રવિવાર, 1 માર્ચની સવારે થયેલા વિનાશક વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતાં અને 18 અન્ય ઘાયલ થયા હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલો તેમજ નાગપુરની ઓરેન્જ સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી. આ દુર્ઘટના સવાર 6થી 7 વાગ્યાની વચ્ચે થઈ હતી. રાઉલગાંવમાં આવેલી SBL કંપની ખાણકામમાં વપરાતા ડેટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રીનું ઉત્પાદન કરે છે. કામદારો રાબેતા મુજબ ફરજ પર હાજર થયા હતાં, ત્યારે ડેટોનેટર ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક અને શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારની બહાર પણ સંભળાયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો.

વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે સંબંધિત યુનિટનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચા જોવા મળ્યા હતાં. વિસ્ફોટ સમયે, અસરગ્રસ્ત વિભાગમાં લગભગ 25 થી 30 કામદારો હાજર હતાં. લાગેલી આગ અને માળખુ ધસી પડવાના કારણે, કેટલાક કામદારો ફસાયા હતાં.

/* */

LEAVE A REPLY