
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવાર, 5 માર્ચે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ રમાશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, બીજી તરફ ઇંગ્લેન્ડે તેમની તમામ સુપર 8 મેચ જીતી હતી અને હાલમાં શાનદાર ફોર્મમાં છે.
આ બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર સેમિફાઈનલમાં ટકરાશે. અગાઉ, 2022 અને 2024માં પણ બન્ને ટીમ રમી હતી અને બંનેએ એક-એક જીત નોંધાવી છે.
ભારતીય ટીમ છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 2007, 2014, 2016, 2022 અને 2024માં ટૉપ-4માં જગ્યા બનાવી ચૂકી છે, આ પાંચ તકોમાંથી તેને ત્રણ વખત જીત મળી છે.
બીજી તરફ ઇંગ્લેન્ડ પણ પાંચમી વખત સેમિફાઈનલ રમી રહ્યું છે. આ પહેલા તે 2010, 2016, 2021, 2022 અને 2024માં આ સ્ટેજ સુધી પહોંચ્યું હતું. જેમાંથી ત્રણ સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
સતત બે જીત બાદ ભારત વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કરે તેવી ઓછી શક્યતા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 મેચ રમાઈ છે, જેમાં થી ભારતે 17 અને ઇંગ્લેન્ડે 12ના જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં ભારતે ઇંગ્લેન્ડના ચાર વખત હરાવ્યું છે.













