બાંગ્લાદેશમાં ગયા સપ્તાહે અલગ-અલગ ઘટનાઓમાં બે હિન્દુની હત્યા કરાઈ હતી અને એક મંદિરમાં ક્રૂડ બોંબ વિસ્ફોટ થતાં પૂજારી સહિત ચાર હિન્દુ ઘાયલ થયા હતાં, એમ બાંગ્લાદેશ જાતિઓ હિન્દુ મોહજોતે (બાંગ્લાદેશ રાષ્ટ્રીય ગ્રાન્ડ એલાયન્સ)એ જણાવ્યું હતુ.
8 માર્ચે પૂજા દરમિયાન કુમિલા શહેરના એક હિન્દુ મંદિરમાં ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યાં હતાં, જેના કારણે ભારે ગભરાટ ફેલાયો હતો. સંગઠનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવાર સાત માર્ચે સાંજે 6.30 કલાકે કુમિલા શહેરના સાઉથ ઠાકુરપરા વિસ્તારામા શનિદેવના મંદિરમાં પૂજા ચાલતી હતી ત્યારે મુસ્લિમ ત્રાસવાદીઓએ ક્રૂડ બોંબ ફેંક્યા હતાં. તેમાં મંદિરના પૂજારી અને બીજા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
મંદિર સમિતિના પ્રમુખ સજોલ કુમાર ચંદાએ જણાવ્યું હતું કે ધાર્મિક સમારોહ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટના થોડા સમય પહેલા એક માસ્ક પહેરેલો વ્યક્તિ મંદિરમાં પ્રવેશતો અને એક બેગ છોડીને જતો જોવા મળ્યો હતો. વિસ્ફોટની ક્ષણનું વર્ણન કરતા ઘાયલ થયેલા પુજારી કેશબ ચક્રવર્તીને જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ પછી મારી સામે એક સફેદ વસ્તુ પડી હતી,… પાછળથી, ધુમાડો જોઈને, અન્ય લોકોએ મને કહ્યું કે તે બોમ્બ હતો.મેટ્રોપોલિટન પૂજા સેલિબ્રેશન ફ્રન્ટના કન્વીનર શ્યામલ કૃષ્ણાએ સ્થળની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે ઝડપી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
હુમલાખોરોએ નજીકના બૌદ્ધ મંદિર અને એક ખાનગી ઓફિસ પાસે બે વધુ ક્રૂડ બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતાં.
6 માર્ચ માર્ચેની રાત્રે બોગુરા જિલ્લાના સરિયાકાંડીમાં જમીન વિવાદને લઈને ચાયોન રાજભર નામના 40 વર્ષીય હિન્દુની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી. મૃતક ચાયોન રાજભર ‘ધ ન્યૂ કોન્ટેસ્ટ’ નામના સ્થાનિક કોચિંગ સેન્ટરના ડિરેક્ટર હતાં. બીજા દિવસે બપોરે 2:00 વાગ્યે કોક્સ બજાર શહેરમાં ગણેશ પાલ (29) નામના એક હિન્દુ યુવાન ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કરતાં આતંકવાદીઓએ તેની છરીના ઘા મારીને હત્યા કરી હતી.












