(ANI Photo/Jitender Gupta)

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે મંગળવારે રાજીનામું આપ્યું હતું. કંપનીમાં સૌથી મોટી સંચાલકીય કટોકટી સર્જાયાના ત્રણ મહિના પછી તેમણે આ રાજીનામું આપ્યું છે. આ કટોકટી પછી ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCAએ ઇન્ડિગોને કુલ રૂ.22.20 કરોડની પેનલ્ટી ફટકારી હતી.

કંપની નવા સીઇઓની નિયુક્તિ ન ત્યાં સુધી એરલાઇનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા વચગાળામાં કંપનીનું સંચાલન સંભાળશે.

ઇન્ટરગ્લોબ એવિએશનના ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ જણાવ્યું હતું કે રાહુલ એરલાઇનના સંચાલન માટે કંપનીની સંસ્કૃતિને મજબૂત કરવા, ઓપરેશનલ શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા તથા ગ્રાહકોની સંભાળ, વિશ્વસનીયતા અને વ્યાવસાયિકતાની અસાધારણ સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે પરત આવ્યાં છે. ઇન્ટરગ્લોબ એવિએશન આ એરલાઇનને ઇન્ડિગો બ્રાન્ડ નામથી ચલાવે છે.

/* */

રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી આ એરલાઇન સાથે જોડાયેલા હોવાથી ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યે મારી અંગત જવાબદારી છે. ઈન્ડિગો ભારતની સેવામાં અને વૈશ્વિક સ્તરે તેનું સન્માન વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

સપ્ટેમ્બર 2022માં ઇન્ડિગોનું સુકાન સંભાળનાર એલ્બર્સ પર ગયા વર્ષે ડિસેમ્બરમાં એરલાઇનની સૌથી ગંભીર સંચાલકીય કટોકટીને પગલે દબાણ હતું. તે સમયે કંપનીએ સ્ટાફની અછતને પગલે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને કંપનીની પ્રતિષ્ઠા ખરડાઈ હતી.

LEAVE A REPLY