
ભારત અને બ્રિટને તેમની દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવાના ભાગ રૂપે સર્જનાત્મક ઉદ્યોગોમાં સહયોગનો વિસ્તાર કરવો જોઈએ, એમ યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં નેશનલ થિયેટરના ડિરેક્ટર ઇન્ધુ રૂબાસિંઘમ, યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને ઉદ્યોગપતિ અક્ષતા મૂર્તિ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ બંને દેશો વચ્ચે વધતા સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા કરવા માટે કલા, બિઝનેસ અને જાહેર જીવનના અગ્રણી વ્યક્તિઓને એકસાથે લાવ્યો હતો.
નેશનલ થિયેટરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં શ્રી દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે “સર્જનાત્મક ક્ષેત્ર ભારત-યુકે સંબંધોમાં અનશોધિત સીમા છે. ભારત-યુકે સંબંધો માટે આગામી મહાન તક ફક્ત સ્કોચ વ્હિસ્કીમાં નથી, જેટલો આપણે તેનો આનંદ માણીએ છીએ, કે માત્ર ટેકનોલોજીમાં નથી, જેટલા આપણે તેમાં સારા છીએ – તે સર્જનાત્મક ઉદ્યોગોમાં પણ છે.”
દોરાઇસ્વામીએ કહ્યું હતું કે ‘’બ્રિટને સાંસ્કૃતિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સર્જનાત્મક ઉત્પાદનોમાં ફેરવવામાં અસાધારણ કુશળતા વિકસાવી છે. આપણા માટે ભારતમાં ફક્ત સામગ્રી જ નહીં, પણ સંગ્રહાલયો, કલા, રમતગમત, થિયેટર અને સંગીતને શ્રેષ્ઠ ઉત્પાદન બનાવવામાં યુકેની અવિશ્વસનીય કુશળતાને પણ લઈ જવાની એક વાસ્તવિક તક છે.”
રૂબાસિંઘમે વધતા સાંસ્કૃતિક સંવાદનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘’ભારતીય હાઈ કમિશને આવી ઘટના માટે યુકેની રાષ્ટ્રીય કલા સંસ્થા સાથે ભાગીદારી કરી હોય તેવું પહેલી વાર બન્યું છે. યુકે અને ભારત સર્જનાત્મક શક્તિઓ છે, અને આજની રાત તેની ઉજવણી કરવાનો ક્ષણ છે. નેશનલ થિયેટરનો ઉદ્દેશ્ય ભારતીય કલાકારો, બિઝનેસીસ અને પ્રેક્ષકો સાથે સંબંધોને મજબૂત બનાવવાનો છે.’’
નેશનલ થિયેટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટ વારાએ જણાવ્યું હતું કે સંસ્થા પહેલાથી જ NT લાઈવ અને NT એટ હોમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં તેની પહોંચનો વિસ્તાર કરી રહી છે, જે વિશ્વભરમાં પ્રોડક્શન્સનું પ્રસારણ કરે છે. તેમણે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી હતી.













