બેંક ઓફ ઈંગ્લેન્ડે બેંકનોટ પર સર વિન્સ્ટન ચર્ચિલ, જેન ઓસ્ટેન, જે.એમ.ડબલ્યુ. ટર્નર અને એલન ટ્યુરિંગ સહિતના ઐતિહાસિક નેતાઓ અને અગ્રણી વ્યક્તીઓના ફોટોને બદલે ચલણી બેન્ક નોટ્સ પર વન્યજીવન અને પ્રકૃતિ-થીમ આધારિત ચિત્રો મૂકવાની યોજના જાહેર કરી છે.

બેંકના મુખ્ય કેશિયર વિક્ટોરિયા ક્લેલેન્ડે જણાવ્યું હતું કે આ પગલું અંશતઃ નકલી સ્થિતિસ્થાપકતાને સુધારવાનો અને ચલણી નોટોને બ્રિટનના સમૃદ્ધ વન્યજીવનને પ્રદર્શિત કરવાનો છે. જાહેર પરામર્શમાં પ્રકૃતિ સૌથી લોકપ્રિય થીમ રહી હતી, જેમાં લગભગ 60 ટકા લોકોએ સ્થાપત્ય, ઐતિહાસિક વ્યક્તિઓ અથવા સાંસ્કૃતિક ચિહ્નો કરતાં તેને પસંદ કર્યું હતું.

આ માટે પ્રેઝન્ટર ગોર્ડન બકાનન, મિરાન્ડા ક્રેસ્ટોવનિકોફ અને નદીમ પરેરા સહિત વન્યજીવન નિષ્ણાતોની એક પેનલ, ભવિષ્યની બેંકનોટ પર દર્શાવવા માટે પશુ પક્ષીઓની પ્રજાતિઓની ટૂંકી સૂચિ પસંદ કરશે. જે તમામ દેશોનું પ્રતિનિધિત્વ કરશે.

આ નવી નોટોમાં અદ્યતન નકલ વિરોધી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, તેને ડિઝાઇન, ટેસ્ટીંગ અને પરિભ્રમણમાં ઘણા વર્ષો લાગશે. બેંક ઓફ ઇંગ્લેન્ડની નોટો પર દેખાતી યુકેની વન્યજીવનની ટૂંકી સૂચિ આ સમરમાં જાહેર થવાની અપેક્ષા છે.