ભારતમાં ક્રિકેટની લોકપ્રિય ટુર્નામેન્ટ IPLનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ આ ટુર્મામેન્ટ શરૂ થાય તે પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મોટો ઝટકો મળ્યો છે. ટીમના દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીને ઇજા થઇ હોવાથી તે 15 દિવસ માટે રમી શકશે નહીં. ટીમ મેનેજમેન્ટે શનિવારે જાહેરાત કરી હતી કે, ધોની પગની ઈજાને કારણે શરૂઆતની મેચ રમશે નહીં. ધોનીની ગેરહાજરીમાં, સંજુ સેમસન અથવા ઉર્વિલ પટેલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. ધોની સીઝનની ઓછામાં ઓછી પ્રથમ ચાર મેચો ગુમાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેણે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લી સીઝનમાં, તેણે તમામ 14 મેચ રમી હતી અને 135થી વધુના સ્ટ્રાઇક રેટથી 196 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થતાં તેણે ટીમનું સુકાન સંભાળ્યું હતું.













