IPL 2026: SRH, RCB Practice Session

છેલ્લા 18 વર્ષથી ક્રિકેટ જગતમાં લોકપ્રિય બનેલી ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજથી બેંગલુરુમાં પ્રારંભ થઇ રહ્યો છે. ગત વર્ષની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શનિવારે સાંજે 7.30 કલાકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે તે સાથે જ લગભગ બે મહિના સુધી સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર છવાશે. આગામી બે મહિના દરમિયાન દસ જુદી જુદી ફ્રેન્ચાઈઝીની ટીમો 70 મેચ રમશે અને તેને અંતે બે ક્વોલિફાયર્સ અને એક એલિમિનેટર મેચ અને અંતે ફાઇનલ મેચ રમાશે. આમ આ વર્ષે કુલ 74 મેચ રમાશે.
ગયા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની હતી. પરંતુ, 2025માં ચેમ્પિયન બન્યા બાદની અણધારી દુર્ઘટના બની હતી. સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતી વખતે આરસીબી લીગની આ 19મી સિઝનમાં વધુ ભવ્યતાથી પ્રવેશવા ઇચ્છતી હતી પરંતુ હાલ ત્યાં ગમગીન વાતાવરણ છે. ગયા વર્ષે ટીમના વિજય ઉત્સવ દરમિયાન ચોથી જૂને સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં જીવ ગુમાવનાર 11 રમતપ્રેમીઓની યાદો હજી પણ તાજી છે. આ વર્ષે આ લીગનો ઉદઘાટન સમારંભ યોજાશે નહીં. આ ઉપરાંત એસોસિએશને સ્ટેડિયમમાં 11 બેઠકો કાયમ માટે ખાલી રાખવાની જાહેરાત કરી છે.