ટોરોન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડના સહયોગથી ‘ઈન્ડિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કોન્સ્યુલેટે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ પર ઉદ્યોગ-આધારિત સંવાદને પ્રોત્સાહન આપવા માટે સહયોગ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમે ભારતના આર્થિક પરિવર્તનના કેન્દ્રમાં રહેલા ક્ષેત્રો – સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ટેકનોલોજી અને એઆઈ, કૃષિ-ખાદ્ય અને અદ્યતન ઉત્પાદનમાં તકો શોધવા માટે પ્રોફેશનલ ભાગીદારો અને રોકાણકારોને એકસાથે લાવવવામાં આવ્યા હતા.
સભાને સંબોધતા, કાર્યકારી કોન્સ્યુલ જનરલ કપિધ્વજ પ્રતાપ સિંહે આ ક્ષેત્રોમાં રહેલી મહત્વપૂર્ણ તકોનો ઉલ્લેખ કરી ભાર મૂક્યો હતો કે કેવી રીતે કેનેડાની મૂડી, ટેકનીકલ કુશળતા અને નવીન ક્ષમતા ભારતના સ્કેલ, પ્રતિભા અને બજાર ગતિશીલતાને પૂરક બનાવે છે – જે બંને દેશોને વિકાસમાં કુદરતી ભાગીદાર બનાવે છે.
કોન્સ્યુલેટ આ ફોરમને એકસાથે લાવવા અને ઉદ્યોગ-આધારિત વેપાર અને રોકાણ સંવાદને અસરકારક રીતે ગતિશીલ બનાવવા બદલ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ અને તેના સીઈઓ શ્રી જયપોલ મેસી-સિંઘનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.















