(PMO via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની 2029ની લોકસભાની ચૂંટણી પહેલા લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ કરવા માટે સજ્જ બની છે. સરકારે ૧૬થી ૧૮ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ભાજપે તેના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોને ‘થ્રી લાઇન વ્હિપ’ જારી કરીને તમામ સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમાં ફરજિયાત હાજર રહેવાની સૂચના આપી છે.

આ વિશેષ સત્રનો મુખ્ય એજન્ડા મહિલા અનામત કાયદા (નારી શક્તિ વંદન અધિનિયમ)માં મહત્વના સુધારા કરવાનો છે. સરકારનું લક્ષ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા આ અનામતને અમલમાં લાવવાનું છે.

મહિલાઓને અનામત આપવા માટે લોકસભાની કુલ બેઠકોની સંખ્યા હાલની ૫૪૩થી વધારીને ૮૧૬ કરવાનો પ્રસ્તાવ છે. આ વધેલી બેઠકોમાંથી અંદાજે ૨૭૩ બેઠકો (કુલ બેઠકોનો ત્રીજો ભાગ) મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે. અનામતનો વહેલી તકે અમલ કરવા માટે સરકાર ૨૦૨૭ની વસ્તીગણતરીની રાહ જોવાને બદલે ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડાઓના આધારે સીમાંકન કરવાની યોજના બનાવી રહી છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને આ વિશેષ સત્ર પહેલા ‘સર્વપક્ષીય બેઠક’ બોલાવવાની માંગ કરી હતી. વિપત્રે વિશ્વાસમાં લીધા વિના જ આ સત્ર બોલવામાં આવ્યું હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો.

મહિલા અનામત બિલ 2023માં સર્વસંમતિથી પસાર થયું હતું. જોકે તેનો અમલ 2027ની વસ્તી ગણતરી પછી સીમાંકન કવાયત પછી થવાનો હતો.

મહિલા અનામત બિલના અમલીકરણ માટે પક્ષો પાસેથી સહયોગ માંગ્યો માગતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંસદ, ઇતિહાસ રચવાની નજીક છે અને દાયકાઓની આતુરતાનો અંત લાવવાનો આ યોગ્ય સમય છે.