Vistara will be merged with Tata Air India by March 2024
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનમાં નવા પ્રકારના કોરોનાવાઇરસને ફેલાવાને પગલે ભારતે બ્રિટનથી ઉપડતી કે જતી તમામ ફ્લાઇટને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી હતી. ભારતના એવિયેશન મંત્રાલયે સોમવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ બુધવારથી અમલ થશે અને તે પહેલા બ્રિટનથી આવતા તમામ પેસેન્જર્સનું એરપોર્ટ પર આગમન સમયે RT-PCR ટેસ્ટિંગ થશે.

બ્રિટનના નવા પ્રકારના કોરોના વાઇરસની ચર્ચા કરવા ભારતમાં કોવિડ-19 અંગેની મોનિટરિંગ ગ્રૂપની સોમવારે સવારે બેઠક મળી હતી. ભારતના આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે સરકાર નવા સ્વરૂપના વાઇરસથી સંપૂર્ણપણે એલર્ટ છે અને ગભરાટનું કોઇ કારણ નથી. આ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ બ્રિટન માટેની તમામ ફ્લાઇટ પર તાકીદે પ્રતિબંધ મૂકવાની સોમવારે માગણી કરી હતી.