ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ (ફાઇલ ફોટો (Photo by Kai Schwoerer/Getty Images)

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમમાં આક્રમક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ અને ઝારખંડનાં યુવા સુકાની, બેટ્સમેન ઇશાન કિશનને પહેલી વખત સામેલ કરાયા છે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન) કે. એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રીષભ પંત (વિકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોંશિગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.