ભારતમાં કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 90 કરોડને પાર કરી ગયું છે. મહામારીની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,30,68,599 લોકો અગાઉથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 25,455 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.86% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. સક્રિય કેસનું ભારણ શનિવાર 2,73,889 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.81% છે. 197 દિવસમાં સૌથી ઓછું નોંધાયું.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,29,258 કુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 57.19 કરોડથી વધારે (57,19,94,990) ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
ભારતભરમાં ટેસ્ટિંગ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 99 દિવસોથી 1.68 ટકા પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3 ટકા કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.70 ટકા છે. છેલ્લા 33 દિવસથી 3 ટકા કરતા ઓછો અને સતત 116 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5 ટકાથી નીચે રહ્યો છે.