બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે હિન્દુ જાગૃતિ મંચે રવિવાર, 4 જાન્યુઆરીએ રાંચીના આલ્બર્ટ એક્કા ચોક ખાતે મશાલ રેલી કાઢી હતી. (ANI Photo)

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી પહેલા 9 ફેબ્રુઆરીની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ એક હિન્દુ બિઝનેસમેનની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લામાં બની હતી. આ જિલ્લામાં અગાઉ દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ સાથે ટોળાએ મારપીટ કરી હતી અને જીવતા સળગાવી દીધાં હતાં.

ભોગ બનનાર હિન્દુ 62 વર્ષીય સુશેન ચંદ્ર સરકાર દક્ષિણકાંડા ગામના રહેવાસી અને ચોખાના વેપારી હતાં. તેઓ ભોગન બજારમાં “ભાઈ ભાઈ એન્ટરપ્રાઇઝ”ના માલિક હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા રાત્રે ૧૧ વાગ્યે બજારના ચાર રસ્તા પર થઈ હતી. અજાણ્યા હુમલાખોરોએ સુશેન ચંદ્ર સરકાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને દુકાનમાં પૂરીને શટર બંધ કરી દીધાં હતાં. સરકારની હત્યા કર્યા પછી તેઓએ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી પણ કરી હતી.

તેઓ દુકાનની અંદર લોહીથી લથપથ હાલતમાં પરિવારને મળી આવ્યાં હતાં. તેમને તાત્કાલિક મૈમનસિંઘ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. મૃતકના પુત્ર સુજન સરકારે જણાવ્યું હતું કે હત્યારાઓએ તેના પિતાની હત્યા કર્યા પછી દુકાનમાંથી પૈસા ચોરી લીધાં હતાં. અમારો લાંબા સમયથી ચોખાનો ધંધો હતો. કોઈની અમારી સાથે કોઈ દુશ્મની નહોતી. ગુનેગારોએ મારા પિતાની નિર્દયતાથી હત્યા કર્યા પછી દુકાનમાંથી લાખો રૂપિયા ચોરી લીધા હતાં

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના વચગાળાના વહીવટતંત્ર હેઠળ દેશના હિન્દુ લઘુમતીની પર અત્યાચાર થઈ રહ્યા છે. ઓગસ્ટ 2024ના શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ સામેની હિંસા, ધાકધમકી અને બળજબરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY