Twitter suspended the accounts of several journalists in the US

ખર્ચ ઘટાડવાના પ્રયાસરૂપે ઇલોન મસ્ક ટ્વીટરના આશરે 3,700 કર્મચારીઓ અથવા 50% કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે, એમ બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું. કંપનીના નવા માલિક 4 નવેમ્બરના રોજ અસરગ્રસ્ત કર્મચારીઓને જાણ કરવાનો ઇરાદો ધરાવે છે. બાકીના સ્ટાફને ઓફિસમાં જવાનું કહેવામાં આવશે કારણ કે મસ્ક કંપનીની વર્તમાન વર્ક-ફ્રોમ-એનીવ્હેર પોલિસીમાં પણ ફેરફાર કરવાની યોજના ધરાવે છે. સૂત્રો કહે છે કે હજુ પણ કેટલાક અપવાદો આપવામાં આવી શકે છે.

ટ્વીટરના માલિક બન્યા બાદ ઇલોન મસ્ક કેટલાંક આક્રમક પગલાં લઈ રહ્યાં છે. આ ઉપરાંત આ સોશિયલ મીડિયા સાઈટ પર લોકોને વર્ક ફ્રોમ હોમ (WFH)ની જે સુવિધા મળતી હતી તે પણ બંધ કરાશે. જાણકાર લોકોનું કહેવું છે કે ટ્વિટરમાંથી જે લોકોને છુટા કરવામાં આવશે તેને 60 દિવસનો પગાર આપવામાં આવશે. ટ્વિટરની ડીલ થવાની હતી ત્યારે જ ઈલોન મસ્કે કહી દીધું હતું કે તે કંપનીમાંથી ઓછામાં ઓછા 75 ટકા લોકોની છટણી કરવા માંગે છે. છટણી માટેનું લિસ્ટ બની ગયું હતું અને હવે તે મુજબ લોકોને કાઢી મુકવામાં આવશે. ઈલોન મસ્કે ટ્વિટરની ડીલ કરી તે દિવસે જ તેના સીઈઓ પરાગ અગ્રવાલ અને બીજા વરિષ્ઠ લોકોને ઘરભેગા કરી દીધા હતા.

મસ્કે ડીલ કર્યા પછી પરાગ અગ્રવાલને CEO પદેથી પાણીચુ આપ્યું હતું. પરંતુ હવે ટ્વિટરમાં જરૂરી સુધારા કરવા માટે અન્ય એક ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ શ્રીરામ ક્રિષ્નન ની મદદ લેવી પડી છે. ઈલોન મસ્ક આ એક્વિઝિશન પછી સોશિયલ મીડિયા કંપનીમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા માંગે છે. ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્કે 44 અબજ ડોલરની ચુકવણી કરી છે અને હવે આ ખર્ચ વસુલ કરવા માટે તેમણે કર્મચારીઓને ઘરભેગા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અત્યાર સુધી જે બ્લૂ ટિક વેરિફિકેશન મફતમાં મળતું હતું તેના માટે પણ આઠ ડોલર વસુલવામાં આવશે.

LEAVE A REPLY

3 × four =