મહંત સ્વામી
વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાંજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં(Handout via PTI Photo)

વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. એનઆરઆઇ સાથે આશરે બે લાખ હરિભક્તો હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરાઈ કરાઈ હતી.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ અને મોહન યાદવે પ. પૂ. મહંત સ્વામી મહારાજના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ ગ્રહણ કર્યા હતાં. પૂ. મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન એવા જબલપુરનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાન મોહન યાદવે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરાયું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બહુમાન – Largest Simultaneous Hindu Text Recital – ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ બદલ પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.

પૂજય મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ દર્શાવતા વિશિષ્ટ વીડિયોની સાથે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં પ્રેરક પ્રવચનો કર્યાં હતાં.

આ અવસરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના શુભેચ્છા પત્રનું વાંચન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહ આરતી સમયે દિવ્ય વાતાવરણ ઊભું થયું હતું. સમારોહમાં BAPSના 800 સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો સ્થળ પર ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં BAPSના સેંકડો સંતો તથા 34 સેવાવિભાગોના 14000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંતશક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. સંત, શાસ્ત્ર અને મંદિર, આ ત્રણ આધારસ્તંભો દ્વારા આપણી સંસ્કૃતિ મજબૂત બની છે અને સ્વધર્મ અને આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે પણ સંતશક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે. મુખ્યમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ‘અહમશૂન્ય’ જીવનદર્શનને જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામજી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે દર્શાવાયેલી વિનમ્રતાનો ઉલ્લેખ કરી સંતોની અહમશૂન્યતા જ તેમની સાચી તાકાત હોવાનું જણાવ્યું હતું અને આ ગુણ આપણા જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી.

પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન પર પ્રકાશ પાડતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો અને બાળપણથી જ ધાર્મિક સંસ્કાર, સાદગી અને શિસ્ત તેમના જીવનમાં પ્રગટ હતા. કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વૈરાગ્યના માર્ગે આગળ વધીને યોગીજી મહારાજના આશીર્વાદથી તેમણે સન્યાસ જીવન અપનાવ્યું અને ગુરુનિષ્ઠાને જીવનનો આધારસ્તંભ બનાવ્યો.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે આ અવસરને માત્ર ઉત્સવ નહીં પરંતુ ગુણાતીત ગુરુ પરંપરાના અખંડ પ્રવાહનું જીવંત સાક્ષ્ય ગણાવી મહંત સ્વામી મહારાજને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY