Taarak Mehta Ka Ooltah Chashmah 'Dayaben' Disha Vakani's Absence
Getty Images)
ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કોમેડી શો અને અનેક રેકોર્ડ પોતાને નામે કરનાર ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી  દયાભાભીને મિસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી શોથી દૂર દિશા વાકાણી (દયાભાભી) લગ્ન પછી, બે બાળકોને જન્મ આપી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ શો સાથે જોડાશે કે નહીં તે રહસ્ય પણ હજુ અકબંધ છે. આ શોના ચાહકો દિશા વાકાણીના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં દિલીપ જોશી અને શોના પ્રોડ્યુસર અસિત મોદીએ મીડિયા સાથે દયાભાભીના જવાથી શોને કેટલી અસર પહોંચી છે અને શોને આગળ વધારવા માટે કેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરી હતી.
દિલીપ જોશીએ કહ્યું હતું કે, શોના મેકર્સ નક્કી કરશે કે દયાભાભીના કેરેક્ટરમાં નવા એક્ટરને લેવા કે નહીં. હું પર્સનલી કહું તો, દયાના કેરેક્ટરને હું મિસ કરું છું. દયા અને જેઠાલાલના સીન્સ ઓડિયન્સમાં હોટફેવરિટ છે. લોકોને તેમની કેમેસ્ટ્રી અને નટખટ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે. દિશાજી જે સમયથી શોથી દૂર થયા છે તે દિવસથી શોનો ફન્ની પાર્ટ ઓછો થઈ ગયો છે. લોકોને દયા-જેઠાની કોમેડી જોવી છે. લોકો અનેકવાર કોમેન્ટ કરીને અમારી જોડીને જોવા રિકવેસ્ટ કરી ચૂક્યા છે. હું દરેક સમયે પોઝિટિવ રહું છું અને અમારા પ્રોડ્યુસર અસિત મોદી પણ કમબેકની રાહ જોઈ રહ્યા છે. તમે નથી જાણતા કે ક્યારે શું ઈન્ટરેસ્ટિંગ થઈ શકે. કહેવાય છે ને કે, કલ કિસને દેખા !
દિશા વાકાણીના શોમાં પરત ફરવા પર વાત કરતા પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે, લોકો અનેકવાર મને દિશાના શોમાં પાછા ફરવા વિશે પૂછે છે પણ મને નથી ખબર કે તેઓ ક્યારે પાછા ફરશે. અમારી ઈચ્છા છે કે, જૂના દયાભાભી એટલે કે, દિશા વાકાણી શોમાં પરત ફરે પણ તેમના ફેમિલી કમિટમેન્ટ છે અને તેઓ અત્યારે તેમના પરિવાર પર ધ્યાન આપી રહ્યા છે. તેમનું પરત ફરવું મને મુશ્કેલ લાગી રહ્યું છે. જેવી રીતે નવા ટપુ તરીકે નિશ્ચિત ભલુનીની એન્ટ્રી થઈ રહી છે તેવી રીતે નવા દયાબેન પણ શોમાં જલ્દી પરત ફરશે.

LEAVE A REPLY

4 × 3 =