બેન્ક ઑફ ઇંગ્લેન્ડ (Photo-by-Peter-MacdiarmidGetty-Images.jpg)

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તા. 2ના રોજ વ્યાજના દરમાં વધુ અડધો ટકાનો વધારો કરતા બેઝીક વ્યાજનો દર વધીને 4 ટકા થઇ ગયો હતો. વધતા જતા ફુગાવાને કાબૂમાં રાખવાની સેન્ટ્રલ બેન્કની લડાઈમાં સતત દસમી વખત વ્યજ દરમાં વધારો કરાયો છે. જો કે બેન્કે બેન્કે બ્રિટીશ અર્થતંત્ર માટે તેની આગાહીને અપગ્રેડ કરી હવે આગાહી કરતાં ઓછી મંદી રહેશે અને આ વર્ષે ફુગાવો ધીમે ધીમે નીચે આવે તેવી અપેક્ષા છે.

બેન્કે એવો સંકેત આપ્યો હતો કે આ વ્યાજ દર વધારો કદાચ છેલ્લો હોવાની સંભાવના છે. જો વધુ સતત (ફૂગાવાનું) દબાણના પુરાવા હશે તો જ દરમાં વધારો કરાશે. બીજી તરફ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પોલીસી મેકર્સ કેથરિન માને કહ્યું હતું કે ‘’બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરવાને બદલે ફરીથી વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા વધુ છે. બેન્કનું લક્ષ્ય ફુગાવાને 2 ટકા પર લાવવાનું છે. પરંતુ ખોરાકની કિંમતોમાં તીવ્ર વધારો જોતાં ગયા અઠવાડિયે વ્યાજ દરો વધારીને 4% કર્યા પછી પણ તે વધારો ચાલુ રાખવો જોઈએ એમ લાગે છે. મારી દૃષ્ટિએ વ્યાજના દરમાં કપાત થાય કે જાળવી રખાય તેના કરતા વધારો થવાની શક્યતા વધારે છે.’’

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ 2 ટકાના ફુગાવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે નાણાકીય નીતિ નક્કી કરી છે. MPC એ 7-2ની બહુમતીથી બેંક રેટને 0.5 ટકા પોઈન્ટ વધારીને 4 ટકા કરવા માટે મત આપ્યો હતો.’’

ડિસેમ્બર 2022માં કિંમતો હજુ પણ એક વર્ષ પહેલાં કરતાં 10.5 ટકા વધુ હતી અને આ ફુગાવો દાયકાઓમાં સૌથી વધુ છે. એનર્જીના ઊંચા ભાવ આના માટેનું એક મુખ્ય કારણ છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ગેસના ભાવમાં મોટાપાયે વધારો થયો હતો. હજુ પણ ટેકનિકલ મંદીનો અંદાજ છે. 2023માં એકંદરે વૃદ્ધિ 0.5 ટકા ઘટશે. જો કે નવેમ્બરમાં 1.5 ટકાના ઘટાડાની આગાહી કરાઇ હતી.

યુકેના ચાન્સેલર જેરેમી હંટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની જાહેરાતના જવાબમાં જણાવ્યું હતું કે, “ફુગાવો એ એક સ્ટીલ્થ ટેક્સ છે જે એક પેઢીની જીવનધોરણ માટે સૌથી મોટો ખતરો છે, તેથી અમે આજે બેન્કની કાર્યવાહીને સમર્થન આપીએ છીએ અને અમે આ વર્ષે ફુગાવાને અડધો કરવામાં સફળ થયા છીએ. ઊંચા વ્યાજના દરો લોકોને વધુ બચત કરવા અને ઓછો ખર્ચ કરવા પ્રોત્સાહિત કરી શકે છે, જે ઝડપથી વધતી કિંમતોને રોકવામાં અને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.’’

વડાપ્રધાન ઋષિ સુનકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફૂગાવો એ પેઢીમાં જીવનધોરણ માટે સૌથી મોટો ખતરો છે, અમે આજે બેન્કના પગલાને સમર્થન આપીએ છીએ. અમે ફુગાવાને ઘટાડવા માટે જરૂરી નિર્ણયો લેવાનું ચાલુ રાખીશું.”

LEAVE A REPLY

ten − 8 =