ભારતના સૌથી આદરણીય અને બેસ્ટ સેલિંગ લેખકોમાંના એક પેરુમલ મુરુગન એક નાનકડા ગામમાં પાંગરેલા પ્રેમ અને અસહિષ્ણુતા વિશેની એક ગમગીન અને માર્મિક નવલકથા ‘પાયર’ લઇને આવ્યા છે. આ પુસ્તક નેશનલ બુક એવોર્ડ માટે બે વખત અને 2023 ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ માટે લોન્ગલિસ્ટેડ થઇ છે.

પાયર નવલકથાના મુખ્ય પાત્રો સરોજા અને કુમારેસન ભરયુવાનીમાં દક્ષિણ ભારતના એક નાના શહેરમાં મળે છે, જ્યાં તેઓ પ્રેમમાં પડે છે. કુમારેસન સોડા બોટલિંગની દુકાનમાં કામ કરે છે. તેઓ કુમારેસનના પરિવારીક ગામમાં પાછા ફરતા પહેલા ઝડપથી લગ્ન કરે છે. પરંતુ લગ્ન કરીને એક ખતરનાક રહસ્યને આશ્રય આપી રહ્યા છે. કેમ કે તેઓ અલગ અલગ જાતિના છે અને જો ગ્રામજનોને તેમની જાતિની ખબર પડે તો તેમના બંને પર ગંભીર જોખમ ઉભુ થાય તેમ છે. તેમને લાગે છે કે તેમની જાતિ વચ્ચેનો ભેદ તેમને ક્યાંયના નહિં રહેવા દે.

સાસુના ઝેરનો સામનો કરીને, અને તેના નવા પડોશીઓ તરફથી રોજે રોજ ઉભા થતા નીતનવા પ્રશ્નો તરફ ધ્યાન દોરતી, સરોજા એકલતા અને અસ્વસ્થતાભર્યા જીવનમાં સંતુલિત થવા માટે સંઘર્ષ કરે છે. તો બીજી તરફ કુમારેસન પોતાની જાતને એક નવો સોડા બિઝનેસ બનાવવા માટે ફેંકી દે છે. તેમને કશુંક નવું શરૂ કરવા માટે પૂરતા પૈસા ભેગા થશે તેવી આશા છે. પરંતુ નાનકડા ગામમાં ફેલાયેલી અફવાઓ અને કાનાફુસી આ દંપતીને ઘેરી લે છે.

શું તેમનો પ્રેમ તેમને સુરક્ષિત રાખવા માટે પૂરતો હશે? તેમનું શુ થશે? શું તેઓ પોતાના પ્રેમને જીવતો રાખવામાં સફળ થશે? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા તમારે આ પુસ્તક વાંચવુ જ રહ્યું.

પુસ્તક પરિચય

  • ભારતના સૌથી શક્તિશાળી જીવંત લેખકોમાંના એક પ્રતિબંધિત જુસ્સાની વર્ષો જૂની વાર્તામાં જીવનનો શ્વાસ લે છે. – નીલાંજના રોય, ન્યૂયોર્ક ટાઈમ્સ
  • પુસ્તક એટલું તણાવભર્યું છે કે તમે શ્વાસ લેવા તરફડી ઉઠો- એલેન બેરી, ન્યૂ યોર્ક ટાઇમ્સ.
  • પાયર શક્તિથી ઝળકે છે… અને સમકાલીન ભારતીય સાહિત્યમાં અમાપ મૂલ્ય ઉમેરે છે… વાર્તાનું સખત અને ચમકતુ રત્ન: ધ હિન્દુ
  • વાસુદેવનના અનુવાદનું સરળ, ભવ્ય ગદ્ય કાવ્યાત્મકથી લઈને સસ્પેન્સફુલ સુધીનું છે… મુરુગન વિશ્વવ્યાપી માન્યતાને પાત્ર છે’ પબ્લિશર્સ વીકલી
  • મુરુગનની પાયર તેના શીર્ષકથી ભયભીત છે. આ એક શબ્દ આખી નવલકથામાં ક્યાંય દેખાતો નથી, પરંતુ તે ડર અને નિરાશાની વધતી જતી ભાવનામાં ફાળો આપે છે, જે તેને પડછાયા આપે છે…ખૂબ વાંચી શકાય છે… અનુવાદ વાચકને કૃતિની બિન-પાશ્ચાત્ય, બહુભાષી સેટિંગ, વર્ણનના પ્રવાહ સાથે સમાધાન કર્યા વિના રસતરબોળ કરે છે. – કાર્લોસ રોજાસ, ન્યૂ યોર્ક ટાઇમ્સ

આ પુસ્તકને 5માંથી 4.3 સ્ટાર્સ મળેલા છે.

  • Book: Pyre
  • Author: Perumal Murugan
  • Translator: Aniruddhan Vasudevan
  • Publisher: Pushkin Press
  • Price: £9.99

LEAVE A REPLY

eleven + 14 =