• સુંદર કાટવાલા

વિદેશમાં જન્મેલા દસ મિલિયન લોકો આજે બ્રિટનમાં રહે છે. ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ વિદેશી મૂળના રહેવાસીઓની વસ્તી 7.5 મિલિયન એટલે કે દેશની વસ્તીના 13.4%થી વધીને 16.8% થઇ છે. દેશના લગભગ છમાંથી એક વ્યક્તિ વિદેશી મૂળનો છે. 3.6 મિલિયન EUથી અને 6.3 મિલિયન લોકો બહારથી આવ્યા હતા. જો કે આ આંકડો કેનેડા (23%) અથવા ઑસ્ટ્રેલિયા (29%)ના માઇગ્રેશન કરતા ઓછો છે જો કે તે અમેરિકા (14.3%) કરતાં વધુ છે. બ્રિટન નિઃશંકપણે લાંબા સમયથી માઇગ્રન્ટ્સનો સમાજ રહ્યું છે.

બ્રિટનમાં જીવન જીવતા દસ મિલિયન લોકોમાં બેંગ્લોરમાં મેડિકલ ટ્રેનિંગ પૂરી કરીને 24 વર્ષની ઉંમરે ભારતથી આવેલા મારા પપ્પાનો પણ સમાવેશ થાય છે. મારા પિતા – અને ઇનોક પોવેલ – બંને ઇચ્છતા હતા કે તેઓ ઘરે પાછા ફરે, પરંતુ તેઓ મારી કોર્કની આઇરીશ નર્સ માતાને મળ્યા અને રોકાઇ ગયા.

આ દસ મિલિયનમાં ન્યૂયોર્કમાં જન્મેલા બોરિસ જૉન્સન અને અઢાર વર્ષની ઉંમરે બ્રિટન આવેલા પ્રિન્સ ફિલિપ અને સાઉધમ્પ્ટનમાં જન્મેલા આપણા નવા વડા પ્રધાન ઋષિ સુનક, તેમના માતાપિતા અને તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે.

21મી સદીના પ્રથમ બે દાયકામાં, ન્યુ લેબર અને કન્ઝર્વેટિવની આગેવાની હેઠળની સરકારોમાં અઢી મિલિયન માઇગ્રન્ટનો વધારો થયો હતો. કન્ઝર્વેટિવ રાજકારણીઓએ નીચા ઇમિગ્રેશનનું વચન આપ્યું હતું પરંતુ તેઓ ક્યારેય તે માટેની યોજના શોધી શક્યા નથી. થેરેસા મે છ વર્ષ માટે હોમ સેક્રેટરી અને ત્રણ વર્ષ માટે વડા પ્રધાન હતા. 2016 પછી તેમનું નેટ માઇગ્રેશનનું લક્ષ્ય હિટ થયું હોત, તો આજે માઇગ્રન્ટ વસ્તી કુલ નવ મિલિયનની હોત. પણ કોવિડ રોગચાળો ન હોત તો તે અગિયાર મિલિયન પહોંચી શકી હોત.

સરકારોએ ઇમિગ્રેશનના સ્કેલ, ગતિ અને અસરોને નિયંત્રિત કરવા અંગે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. વલણ બદલાયા છે. પણ ઇમિગ્રેશન ઘટાડવા માટેનો ટેકો ક્યારેય ઓછો રહ્યો નથી. આજે પણ દસમાંથી ચાર લોકો એકંદરે ઓછી સંખ્યા પસંદ કરશે. આપણામાંના છમાંથી એકનો જન્મ વિદેશમાં થયો છે પણ દેશના ત્રીજા ભાગથી વધુ લોકો માઇગ્રન્ટ્સના બાળકો અથવા પૌત્રો છે.

ઇમિગ્રેશનની સંખ્યા, સ્કેલ અને ગતિ – લોકશાહી ચર્ચાનો એક મહત્વપૂર્ણ ભાગ રહેશે. તમામ રચનાત્મક ચર્ચા ભવિષ્યની નીતિ અને ભાવિ સ્થળાંતર વિશે છે. દસ કરોડ લોકોની હાજરી સામે લડવું હવે કાયદેસર નથી અને 2016 પછી તે સિદ્ધાંતને રાજકીય પક્ષોએ માન્યતા આપી હતી. આમ હવે મહત્વનું છે કે સરકારી મંત્રીઓ અસ્તિત્વના જોખમો વિશે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યા વિના તેમનું કામ કરે.

અસાયલમ સાસ્ટમ માટે વ્યવસ્થિત, અસરકારક અને માનવીય વ્યવસ્થા હોવી જરૂરી છે. પણ જો તે નેટ ઇમીગ્રેશનની વર્તમાન ગતિ જાળવી રાખશે તો આગામી દાયકામાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યા 12.5 મિલિયન સુધી પહોંચી જશે. સરકાર તે ગતિને અડધી કરે તો પણ વસ્તી 11.5 મિલિયનની નજીક થઇ શકે છે.

અડધી સદી પહેલા યુગાન્ડન એશિયનોને વિરોધ કરનારાઓને આ દેશે નકારી કાઢ્યા હતા. તે પછી હંગેરિયનો અને ચેક્સનું અને પછી વિયેતનામ, બોસ્નિયા સીરિયાના શરણાર્થીઓ અને હવે હોંગકોંગર્સ, યુક્રેનિયનો અને અફઘાનો આવે છે.

તેથી એક પ્રશ્ન લાંબા સમયથી બંધ થવો જોઈએ કે શું દસ મિલિયન સ્થળાંતર કરનારાઓ આપણા સમાજનો ભાગ છે. તેના બદલે આપણે પૂછવું જોઈએ કે બ્રિટનમાં યોગદાન આપવા આવતા લોકો અને તેઓ જે સમુદાયમાં જોડાય છે તે બંનેને યોગ્ય લાગે તે માટે આપણે વસાહતીઓ માટે સાથે મળીને શું કરી શકીએ.

LEAVE A REPLY

three × two =