ટાટા ગ્રૂપ દ્વારા એરલાઇનને ટેકઓવર કરવામાં આવી ત્યારથી, એર ઇન્ડિયા વિસ્તરણ યોજનાના ભાગરૂપે B777 અને A320 નિયો એરક્રાફ્ટને લીઝ પર આપવાની યોજના સાથે ધીમે ધીમે તેના કાફલામાં વધારો કરી રહી છે. આગામી પાંચ વર્ષમાં, એર ઈન્ડિયા સ્થાનિક બજારમાં તેનો હિસ્સો ઓછામાં ઓછો 30 ટકા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.

એર ઈન્ડિયાના MD અને CEO કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે “આ એર ઇન્ડિયા માટે ઐતિહાસિક પરિવર્તનની અને નવા યુગની શરૂઆત છે. અમે ઉદ્દેશ્યની નવી સમજ અને અવિશ્વસનીય ગતિ સાથે બહાદુર નવી એર ઈન્ડિયાનો પાયો નાખી રહ્યા છીએ. એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાની અમારી યોજના છે. અમે ગર્વથી ભારતીય હ્રદય સાથે વૈશ્વિક ગ્રાહકોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઇન તરીકે ઓળખ મેળવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

LEAVE A REPLY

four × 4 =