પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાની બોર્ડર સિક્યુરિટી ફોર્સ એજન્સી (CBSA)એ ભારતના 700 વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ સામે દેશનિકાલ નોટિસ જારી કરી છે. આ વિદ્યાર્થીના એડમિશન ઓફર લેટર બનાવટી હોવાનું જણાયું હતું. અહેવાલો અનુસાર આ મામલાની તપાસ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ પૂરો કરી લીધો હતો. આ પછી તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જણાઈ આવ્યું હતું.

રીપોર્ટ મુજબ આ વિદ્યાર્થીઓએ અભ્યાસ વિઝા માટે જલંધરની એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસનો સંપર્ક કર્યો હતો. આ એજન્સી બ્રજેશ મિશ્રા નામનો એજન્ટ ચલાવે છે. આરોપ છે કે બ્રજેશ વિઝા માટે દરેક વિદ્યાર્થી પાસેથી રૂ.16 થી 20 લાખ વસૂલે છે. તેમાં પ્રવેશ ફી અને અન્ય ચાર્જનો પણ સમાવેશ થતો હતો.

જોકે, તેમાં એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટનો સમાવેશ થતો ન હતો. ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન ઓફર લેટર પણ સબમિટ કર્યા હતા. જે કાયમી રહેઠાણ અથવા વર્ક પરમિટ માટે જરૂરી દસ્તાવેજ છે. વર્ક પરમીટના વિઝા આપતા પહેલા જ્યારે આ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે અને તે પછી ઇન્ટરવ્યુ થાય છે. 2020-21માં ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગે પંજાબ, હરિયાણા સાથે સંબંધિત આવા 600 થી વધુ કેસ પકડ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાના એજ્યુકેશન વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેનેડાના હાઈ કમિશન દ્વારા એક વર્ષમાં શોધી કાઢવામાં આવેલા આવા કેસોની સંખ્યા 2500થી વધુ છે. ન્યુઝીલેન્ડ, બ્રિટન અને અમેરિકન એમ્બેસી દ્વારા પણ આવા કિસ્સા પકડાયા છે. ગયા વર્ષે કેનેડાનો વિઝા રિજેક્શન રેટ વધીને 41% થયો હતો.

LEAVE A REPLY

six + 8 =