ચારધામ મંદિરના દ્વારા હવે દેશભરના શ્રદ્ધાળુ માટે ખૂલી ગયા છે. ઉત્તરાખંડની બહારના રાજ્યોના પ્રવાસીઓ માટે કોવિડ-19નો ફરજિયાત ટેસ્ટનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. શુક્રવારે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા પણ શરૂ થઈ. આથી કેદારનાથ અને બદ્રીનાથમાં રોજ 2000થી 2500 શ્રદ્ધાળુ આવી રહ્યાં છે. જોકે, દર્શન માટે હવે ઇ-પાસ ફરજિયાત છે. ભક્તો ગર્ભગૃહમાં જઈ શકશે નહીં. કેદારનાથની અંદર સભામંડપમાંથી જ દર્શન કરવા પડશે.