કેરળમાં ચૂંટણીસભાને સંબોધન કરતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતના લોકોને અભણ કહેતા મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. ભાજપને ખડગે સામે ગુજરાતના લોકોનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો.

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા ઇડુક્કી જિલ્લામાં એક રેલીને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે કેરળના લોકો શિક્ષિત અને હોંશિયાર છે અને તેમને ગુજરાત અને બીજા રાજ્યોના લોકોની જેમ ગેરમાર્ગે દોરી શકાતા નથી. કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ હોશિયાર છે. તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજય (મુખ્યમંત્રી પિનરાઈ વિજયન), તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”

ખડગે સામે વળતો પ્રહાર કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ગુજરાત અને ઉત્તર ભારતના લોકો વિરુદ્ધ ચોંકાવનારી ટિપ્પણી કરી છે. આ કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરો નીતિ દર્શાવે છે. તેમણે ગુજરાત અને ઉત્તર પ્રદેશના લોકો સાથે દુર્વ્યવહાર કર્યો છે અને તેમને અભણ કહ્યા છે કારણ કે તેઓ કોંગ્રેસને મત આપતા નથી. જ્યારે કોંગ્રેસ ચૂંટણી હારે છે, ત્યારે તે લોકો સાથે દુર્વ્યવહાર કરે છે

/* */