Court permission required to bring fugitive Mehul Choksi to India from Antigua

ભારતના ભાગેડુ બિઝનેસમેન અને અંદાજે 13000 કરોડની છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીની એન્ટીગ્વાની કોર્ટમાંમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, રૂ. 13,000 કરોડના છેતરપિંડીના કેસમાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ હીરાના વેપારી મેહુલને મંજૂરી વગર એન્ટિગ્વા અને બરમુડામાંથી હટાવી શકાય નહીં. આવી સ્થિતિમાં જો ભારતની એજન્સીઓ ચોકસીને પરત લઇ જવા ઇચ્છે છે તો તેમણે કોર્ટની મંજૂરી લેવી પડશે.
મેહુલ ચોક્સીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે 23 મે 2021ના દિવસે એન્ટીગ્વા અને બારબુડાથી તેને દબાણપૂર્વક કાઢવાના પ્રયાસો કરાયા હતા. તેની વિરુદ્ધ જે કેસ દાખલ કરાયા છે તે તમામની તપાસ થવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતથી ફરાર થયા પછી મેહુલ ચોક્સીએ એન્ટિગ્વામાં સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટના આધારે નાગરિકતા સ્વીકારી હતી. ઈન્ટરપોલે ચોક્સી વિરૂદ્ધ રેડ નોટિસ ઇસ્યુ કરી હતી. પ્રત્યાર્પણની માગ કરનારા દેશની અપીલ પર ઈન્ટરપોલ જનરલ સેક્રેટરી રેડ નોટિસ ઇસ્યુ કરે છે. રેડ નોટિસ અંતર્ગત દેશથી ફરાર થયેલા લોકોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે તેને ઈન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ માનવામાં આવતું નથી.

માર્ચ 2023માં પંજાબ નેશનલ બેંકમાં રૂ. 13,000 કરોડના કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની ‘રેડ નોટિસ’માંથી હટાવવામાં આવ્યું હતું. ફ્રાન્સના લિયોનમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં ચોક્સીએ દાખલ કરેલી અરજીના આધારે આ પગલું લેવામાં આવ્યું છે. ઇન્ટરપોલની રેડ નોટિસના કારણે ચોક્સીને 192 સભ્ય દેશોમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. નોટિસ પાછી ખેંચી લીધા પછી તે વિશ્વભરમાં પ્રવાસ કરી શકશે. વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંકમાં 13,578 કરોડ રૂપિયાની છેતરપિંડી બહાર આવી હતી.

આ કેસમાં અબજોપતિ તથા હીરાનો વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી આરોપી હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સીબીઆઈ કોઇ કાર્યવાહી કરે તે અગાઉ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. નીરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી છે અને મેહુલ ચોક્સી એન્ટિગ્વામાં છે. ભારત સરકાર બંનેને દેશમાં પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

LEAVE A REPLY

20 − two =