અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય પછી 28 જૂને ડીએનએ પરીક્ષણમાં છેલ્લા મૃતકની ઓળખ થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતાં. છેલ્લા મૃતકનો નશ્વરદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મેડિકલ અધિકારીઓએ અગાઉ મૃત્યુઆંક 270 હોવાનું અનુમાન લગાવ્યું હતું.
૧૨ જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક હોસ્ટેલ કોમ્પ્લેક્સમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૨૪૧ મુસાફરોના મોત થયા હતાં અને જમીન પર ઘણા લોકો માર્યા ગયા હતાં. એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના છેલ્લા શરીરનું ડીએનએ મેચિંગ કરવામાં આવ્યું છે. મૃતકનો નશ્વર દેહ સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. આ સાથે વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 260 થયો છે. હવાઈ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અત્યાર સુધીમાં તમામ 260 મૃતકોના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે ૨૪૧ મુસાફરો અને ક્રૂ સભ્યો ઉપરાંત, જમીન પર રહેલા ૧૯ લોકોના મોત થયા હતા.
સરકારે જણાવ્યું હતું કે 260 મૃતકો 200 ભારતીયોનો સમાવેશ થાય છે, જેમાં 181 મુસાફરો અને 19 ગ્રાઉન્ડ પીડિતો, સાત પોર્ટુગીઝ નાગરિકો, 52 બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયનનો સમાવેશ થાય છે.
