The Supreme Court dismissed Bilkis Bano's review petition

નોટબંધીના ભારત સરકારના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવાર (12 ઓક્ટોબરે જણાવ્યું હતું કે તે સરકારના નીતિવિષયક નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગેની લક્ષ્મણ રેખાથી માહિતગાર છે, પરંતુ 2016નો નોટબંધીનો નિર્ણય “શૈક્ષણિક” કવાયત બની ગયો છે કે નહીં તેનું તારણ કાઢવા આ મુદ્દાની ચકાસણી કરવી પડશે. આ મુદ્દે બંધારણી ખંડપીઠ સમક્ષ આવ્યો છે, ત્યારે તેનો જવાબ આપવાની ખંડપીઠની ફરજ છે.

જસ્ટિસ એસ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની ખંડપીઠે કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સર્વગ્રાહી એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 9 નવેમ્બર, 2022 પર મુલતવી રાખી છે. એટર્ની જનરલ આર વેંકટરમણીએ રજૂઆત કરી હતી કે નોટબંધીના ધારાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકારવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો આવશ્યકપણે શૈક્ષણિક રહેશે.

ઊંચ મૂલ્યની બેન્ક નોટ્સ (નોટબંધી) ધારાને 1978માં પસાર કરાયો હતો. તેમાં અર્થતંત્ર માટે નુકસાનકારક નાણાનાગેરકાયદે ટ્રાન્સફરને અંકુશમાં લેવા ઊંચા મૂલ્યની નોટોની નોટબંધી કરવાની જોગવાઈ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ કવાયત શૈક્ષણિક છે કે નિરર્થક બની છે તે જાહેર કરવા માટે કોર્ટે આ મામલની ચકાસણી કરવાની જરૂર છે.

આ મુદ્દાનો જવાબ આપવા માટે અમારે સુનાવણી કરવી પડશે અને જવાબ આપવો પડશે કે શું તે શૈક્ષણિક છે, શૈક્ષણિક નથી અથવા ન્યાયિક સમીક્ષાના અવકાશની બહાર છે. આ કેસમાં મુદ્દો સરકારી નીતિ અને તેની શાણપણ છે, જે આ બાબતનું એક પાસું છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે “અમે હંમેશા જાણીએ છીએ કે લક્ષ્મણ રેખા ક્યાં છે, પરંતુ તે જે રીતે કરવામાં આવી હતી, તેની ચકાસણી કરવી પડશે. તે નક્કી કરવા માટે અમારે વકીલને સાંભળવા પડશે,”કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક મુદ્દાઓ પર કોર્ટનો સમય બગાડવો જોઈએ નહીં.

LEAVE A REPLY

three × 5 =