સદગુરુ સાથે સંવાદ

એકવાર ફેમિલી ડિનરમાં શંકરન પિલ્લઈએ જાહેરાત કરી કે તે લગ્ન કરવાનો છે. બધાએ પૂછ્યું, “તમે કોની સાથે લગ્ન કરવાના છો?” તો શંકરન પિલ્લઈએ કહ્યું, “હું આપણા પડોશની લ્યુસી સાથે લગ્ન કરવાનો છું.” પિતાએ કહ્યું, “શું? તું પેલી લ્યુસી સાથે લગ્ન કરવાનો છે? આપણે તેના મા-બાપને જાણતા નથી.” તેની માતાએ કહ્યું, “શું? તું પેલી લ્યુસી સાથે લગ્ન કરવાનો છે? તેનો કોઈ ખાસ વંશવારસો નથી.” કાકા બોલ્યા, “શું? તું પેલી લ્યુસી સાથે લગ્ન કરવાનો છે? તેના વાળ કેટલા ખરાબ છે.” કાકી અંદર આવીને બોલ્યા, “શું? તું પેલી લ્યુસી સાથે લગ્ન કરવાનો છે? તે એવો ભયંકર મેક-અપ કરે છે કે તે ગલીની સ્ત્રી જેવી લાગે છે.” નાનકડા ભત્રીજાએ પણ પોતાની વાત કરી, તેણે કહ્યું “શું? તમે પેલી લ્યુસી સાથે લગ્ન કરવાના છો? તે ક્રિકેટ વિશે કંઈ જાણતી નથી.

શંકરન પિલ્લઈ પોતાની વાત પર અડગ રહ્યો અને તેણે કહ્યું, “હા હું લ્યુસી સાથે લગ્ન કરવાનો છું કારણ કે એક મોટો ફાયદો છે.” “આ ફાયદો શુ છે?” તેઓ બધાએ પૂછ્યું. તેણે કહ્યું, “તેનો કોઈ પરિવાર નથી.”

આ રીતે, કુટુંબ ત્યારે જ સુંદર બને છે જ્યારે તે ચોક્કસ રીતે કાર્ય કરે છે, નહીં તો તે સૌથી ભયંકર બની શકે છે. કુટુંબનો અર્થ નિર્ભરતા નથી, તે ચોક્કસ તમે રચેલી ભાગીદારી છે છે. ભાગીદારી ત્યારે જ સાર્થક બને છે જ્યારે બંને લોકો ઈચ્છે છે અને તેઓ સાથે મળીને ચોક્કસ દિશામાં જતા હોય છે. બંને ભાગીદારો સતત એકબીજાની સુખાકારી વિશે ચિંતિત હોય, તો ભાગીદારી અર્થપૂર્ણ છે. તમે ફરજને કારણે કુટુંબમાં રહેતા નથી; તમે એક કુટુંબમાં રહો છો કારણ કે ત્યાં તમે રચેલું પ્રેમનું બંધન છે. પ્રેમનું બંધન હોય તો કોઈએ તમને કહેવાની જરૂર નથી કે શું કરવું અને શું ન કરવું; તમે જે જરૂરી છે તે કરશો.

માત્ર એટલા માટે કે તમે કોઈ વ્યક્તિ સાથે અથવા લોકોના જૂથ સાથે પ્રેમનું બંધન રચ્યું છે તેનો અર્થ એ નથી કે તમારે તમારા જીવનમાં મોટી વસ્તુઓની ઇચ્છા ન કરવી જોઈએ. તમે તમારી આસપાસના લોકો માટે સૌથી સારી વસ્તુ જે કરી શકો તે એ છે કે તમે તમારી જાતને માનવી તરીકે બને તેટલી સૌથી વધુ શક્ય બનાવો છો. તમે જેટલા વધુ વિકસિત થશો તેટલા વધુ તમે આસપાસના લોકોમાં ફાળો આપશો. જો કે લોકો આ સમજી શકતા નથી, તેઓ વિચારે છે કે તેમની પાસે તમારી પાસે રહેવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે તે જ સ્તર પર અટવાયેલા હોવા જોઈએ જયાં તેઓ અટવાયેલા છે, તે જ મર્યાદાઓ અને સમાન સમસ્યાઓ સાથે અને તમારે તેનાથી આગળ વધવાની સ્વતંત્રતા શોધવી જોઈએ નહીં, તો તે કુટુંબ નથી; તે માફિયા છે. જો તમે માફિયા ચલાવી રહ્યા છો કે કેવી રીતે એકબીજા પાસેથી શ્રેષ્ઠ મેળવવામાં આવે તો તે એક કુટુંબ નથી. એકબીજાને શ્રેષ્ઠ કેવી રીતે આપવું, તે એક પરિવાર છે. એ ન હોય તો કુટુંબ ન હોય એટલે તોડવાનો પ્રશ્ન જ નથી.

દરેક મનુષ્યે સ્વાભાવિક રીતે જ તે તેના જીવનમાં પહોંચી શકે તેવી સર્વોચ્ચ સંભવિતતાની ઈચ્છા રાખવી જોઈએ કારણ કે તે તેની આસપાસના જીવનમાં તે સૌથી મોટું યોગદાન છે.

Isha Foundation

LEAVE A REPLY

14 − 2 =