ભારતમાં કોરોના મહામારી પછી ઘૃણાસ્પદ ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. દિલ્હીના મહેરૌલીની ભયાનક ઘટના પછી પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ગુરુવાર, 5 જાન્યુઆરીએ એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરીને તેના મૃતદેહોના ટુકડા કરીને કેનાલમાં ફેંકી દીધા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરી હતી. પીડિતાની ઓળખ 30 વર્ષીય રેણુકા ખાતુન તરીકે થઈ હતી અને આરોપી તેના પતિ અન્સારૂલ છે.લગ્નેતર સંબંધની શંકાથી અંસારુલે તેની પત્નીની હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે.પ્રારંભિક તપાસ બાદ, પીડિતાનો પતિ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું. તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી. આખરે ગુરુવારે, તેને પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જાણવા મળ્યું છે કે પીડિતાના લગ્ન છ વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા. તેણીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી કે બંને વચ્ચે શરૂઆતમાં ઝઘડો થયો હતો

LEAVE A REPLY

15 − seven =