ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 126.53 કરોડ (1,26,53,44,975)ને પાર કરી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,53,856 દર્દીઓ સાજા થઇ ગયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.35 ટકા થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ કક્ષાએ છે.
છેલ્લા 160 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 99,974 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.29% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,52,596 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 64.60 કરોડથી વધારે (64,60,26,786) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.81 ટકા છે જે છેલ્લા 20 દિવસથી એક ટકાથી ઓછો છે.